~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર વકીલ સોસાયટી બ્લોક નં. ૧૭માં રહેતા હર્ષાબેન વિજયભાઇ વ્યાસ ગત તા. ૩૦/૧૧ના પરિવાર સાથે મહેસાણા જીલાલના અંબાસણા ગામે અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન કરવા વહેલી સવારે નીકળી રાતના સાડા દસ વાગ્યે પરત ફરતા ઘરની પાછળની સાઇડનો દરવાજો તુટેલી હાલતમાં હતો. મકાનના ઉપરની માળના ...
સુરેન્દ્રનગર, તા.૧૮
સુરેન્દ્રનગર વકીલ સોસાયટી બ્લોક નં. ૧૭માં રહેતા હર્ષાબેન વિજયભાઇ વ્યાસ ગત તા. ૩૦/૧૧ના પરિવાર સાથે મહેસાણા જીલાલના અંબાસણા ગામે અન્નપૂર્ણા માતાજીના મંદિરે દર્શન કરવા વહેલી સવારે નીકળી રાતના સાડા દસ વાગ્યે પરત ફરતા ઘરની પાછળની સાઇડનો દરવાજો તુટેલી હાલતમાં હતો. મકાનના ઉપરની માળના રૂમનું તિજોરીમાં રહાખેલ સોના ચાંદીના દાગીના રૂા. ૪૮ હજારના અને રોકડ રકમ ૩૮૩૦૦ની ચોરી કુલ રૂા. ૮૭૩૦૦ની રોજ હર્ષાબેન વ્યાસે એ ડીવીઝનમાં ફરીયાદ કરતા પી.આઇ. એ. એમ. ગૌરી તપાસ કરે છે.
ટ્રક હડફેટે મોત
નાના હેરાળા ગામ આવેલ ટ્રેડીંગમાં રેતી ભરવા માટે ડમ્પરનો આગળનો કાચ સુદામડાના સંજયભાઇ જગાભાઇ કલોત્રા સાફ કરતો હતો. ત્યારે આગળ ઉભેલ ટોરસ ટુંકના ચાલકે ટ્રક રીવર્સમાં લેતા કલીનર સંજયભાઇ સાથે અથડાતા ગંભીર હાલતના મોત થયું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જેતપુર, તા.૧૮
જેતપુર શહેરમાં આજે નાના વેપારીઓએ ૧૦૦ રૂપિયાની નકલી નોટોના બંડલ સાથે ધોરાજીના અમીનમિયાં ઉમરમિયાં સૈયદ તથા સિરાજ ધાડા નામના બે શખ્સોને ઝડપી મેથીપાક ચખાડીને પોલીસને સોંપી દીધા હતા.
શહેરના સારણ નદીના પુલ પાસે આજે બપોરના એક મોટર સાયકલ પર આવેલા બે શખ્સો કેબીને કેબીનેથી ૧૦૦ રૂપિયાની નવી ન...
જેતપુર, તા.૧૮
જેતપુર શહેરમાં આજે નાના વેપારીઓએ ૧૦૦ રૂપિયાની નકલી નોટોના બંડલ સાથે ધોરાજીના અમીનમિયાં ઉમરમિયાં સૈયદ તથા સિરાજ ધાડા નામના બે શખ્સોને ઝડપી મેથીપાક ચખાડીને પોલીસને સોંપી દીધા હતા.
શહેરના સારણ નદીના પુલ પાસે આજે બપોરના એક મોટર સાયકલ પર આવેલા બે શખ્સો કેબીને કેબીનેથી ૧૦૦ રૂપિયાની નવી નોટ આપી ૧૦-૨૦ રૂપિયાનો પરચુરણ માલ સમાન ખરીદતા હતા. વેપારીઓને શંકા જતા તેઓએ આ શખ્સોએ આપેલી સો રૂપિયાની નવી નોટની ઝીણવટભરી તપાસ કરતા ડુપ્લીકેટ જણાઈ આવી હતી.
વેપારીઓએ એકઠા થઈ બંને શખ્સોની પુછપરછ કરી હતી. બંનેએ અમરેલીના રહેવાસી હોવાનું કહી નોટોના બે બંડલ રસ્તામાંથી મળ્યા હોવાનું રટણ કર્યું હતું. એક શખ્સે પહું મારા વકીલને, પોલીસને ફોન કરુંદ એમ કહીને રોફ જમાવ્યો હતો. તેથી વેપારીઓ ઉશ્કેરાયા હતા. બાદમાં પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા બંને શખ્સો પોપટ બની ગયા હતા.
અમરેલીના નહીં પરંતુ ધોરાજીના બહારપુરા વિસ્તારમાં રહેતા હોવાનું કબૂલ્યું હતું. પોલીસ તરત જ બંને શખ્સને લઈ ધોરાજી સ્થિત તેમના રહેણાંકેે પહોંચી હતી. ત્યાંથી નકલી નોટ બનાવવાનો મુદ્દામાલ કબ્જે કરી બંને જેતપુર લાવી વધુ પૂછપરછ હાથ ધરી હતી. બંને રોજ સો રૂપિયાના દરની પચાસથી સો નોટો છાપતા અને જીવન જરૂરિયાત ચીજવસ્તુની નાના વેપારીઓ પાસેથી ખરીદી કરતા હોવાનું જાણવા મળ્યું હતું.
પૂછપરછ ચાલુ હોઈ બંને વિરુદ્ધ ફરિયાદ મોડી રાત અથવા સવારે નોંધાશે તેમ પીઆઇ વી. કે. પટેલે જણાવ્યું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ધોરાજી, તા.૧૮
રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધોરાજીમાં એક શક્સને ૫૯ બોટલ ઇંગ્લીશ દારુ સાથે ઝડપી લીધો હતો. વિશેષ વિગતો મુજબ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા નારણભાઈ પંપાણીયાને મળેલ બાતમી અનુસાર ધોરાજીમાં ઇંગ્લીશ દારુનો વેપલો થતો હોય આથી ધોરાજીનાં ખીજડા શેરીમાં રહેતા આરોપી રફીક ઉર્ફે બઠીયો મહમદભાઈ ...
ધોરાજી, તા.૧૮
રાજકોટ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે ધોરાજીમાં એક શક્સને ૫૯ બોટલ ઇંગ્લીશ દારુ સાથે ઝડપી લીધો હતો. વિશેષ વિગતો મુજબ એલસીબી વિભાગમાં ફરજ બજાવતા નારણભાઈ પંપાણીયાને મળેલ બાતમી અનુસાર ધોરાજીમાં ઇંગ્લીશ દારુનો વેપલો થતો હોય આથી ધોરાજીનાં ખીજડા શેરીમાં રહેતા આરોપી રફીક ઉર્ફે બઠીયો મહમદભાઈ મડમ ઉ.૩૪ વાળોના કબ્જા ભોગવટાવાળા મકાનમાં રેડ કરતાં જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારુની બોટલ નં ૫૯ કિંમત ૨૨,૫૦૦ અને મોબાઈલ કિંમત રુા. ૫૦૦ કુલ૨૩ હજારનો મુદ્દામાલ ઝડપાયો હતો. જ્યારે આરોપી રફીકે આ દારુ ધોરાજીનાં હનીફ ઉર્ફે દેઢ છકો મજીદભાઈ ગરાણા રહે. ધોરાજીવાળા પાસેથી મેળવ્યા હોવાની માહિતી આપતાં આરોપી રફીક મડમની ધરપકડ કરી જ્યારે બીજો આરોપી હનીફ ગરાણાની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૮
મેંદરડાના સાંસણ રોડ ઉપર મોર્નિંગ વોકમા નીકળેલા યુવકને ઈનોવા કારે ઠોકર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ મેંદરડામાં રહેતા અશ્વિન મનસુખભાઈ સોંદરડા (ઉ.૨૬) નામનો યુવક વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યો હતો. સાસણ રોડ ઉપર પગપાળા જઈ રહ્યો ત્યારે પાછળથી પુરપાટ ઝડપ...
જૂનાગઢ, તા.૧૮
મેંદરડાના સાંસણ રોડ ઉપર મોર્નિંગ વોકમા નીકળેલા યુવકને ઈનોવા કારે ઠોકર મારતા તેનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ મેંદરડામાં રહેતા અશ્વિન મનસુખભાઈ સોંદરડા (ઉ.૨૬) નામનો યુવક વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળ્યો હતો. સાસણ રોડ ઉપર પગપાળા જઈ રહ્યો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ ઈનોવા કારે જોરદાર ઠોકર મારતા અશ્વિનભાઈનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમની ભાણેજનો આબાદ બચાવ થયો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ અશ્વિનભાઈના પત્નિ ગૌરીબેન પ્રેગનેટ હોવાથી દરરોજ તેમના પતિ સાથે મોર્નિંગ વોકમાં જતા હતા જેમાં આજે પગપાળા જતા હતા ત્યારે ઈનોવા કારની ઠોકરે અશ્વિનભાઈને ગંભીર ઈજા થતા તેમનું મોત નિપજ્યું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
સુરેન્દ્રનગર, તા.૧૮
ચોટીલા થાનગઢ પંથકની ભૌગોલિકતા દેશી અને ઇગ્લીશ દારૂ નાં ધંધાર્થીઓ માટે અનુકુળ હોવાથી પંથક બુટલેગરો માટે સ્વર્ગ સમાન બનેલ છે ત્યારે પોલીસ પણ સતર્કતા દાખવી બુટલેગરને નાથવા કમર કસે છે ગત રાત્રીનાં બાતમીના આધારે ૬૭૫ પેટી ઇગ્લીશ દારૂ સાથે ૩૯.૪૦ લાખનાં મુદ્દામાલ સાથે ૩ શખ્શોને પકડી વધ...
સુરેન્દ્રનગર, તા.૧૮
ચોટીલા થાનગઢ પંથકની ભૌગોલિકતા દેશી અને ઇગ્લીશ દારૂ નાં ધંધાર્થીઓ માટે અનુકુળ હોવાથી પંથક બુટલેગરો માટે સ્વર્ગ સમાન બનેલ છે ત્યારે પોલીસ પણ સતર્કતા દાખવી બુટલેગરને નાથવા કમર કસે છે ગત રાત્રીનાં બાતમીના આધારે ૬૭૫ પેટી ઇગ્લીશ દારૂ સાથે ૩૯.૪૦ લાખનાં મુદ્દામાલ સાથે ૩ શખ્શોને પકડી વધુ તપાસ હાથ ધરેલ છે.
પકડાયેલ જથ્થા અંગે મળતી માહિતી મુજબ ચોટીલા પોલીસને પંથકમાં મોટા પ્રમાણમાં ઇગ્લીશ દારૂનો જથ્થો આવી રહયાની હકિકત મળેલ જેને આધારે પીઆઈ એમ સી વાળા, બીટ અબ્દુલભાઇ દરવાડીયા, સરદારસિંહ રાજપુત, દેવરાજભાઇ, વિજયસિંહ, નરેશભાઇ, શેખાભાઇ દક્ષેશભાઇ સહિતના કાફલાએ સરકારી અને ખાનગી વાહનો સાથે વોચમાં હતા તે દરમિયાન પોલીસને જોઇ ટ્રેલર નં આરજે ૧૪ જીઇ ૫૯૮૭ થાનરોડ ઉપર શંકાસ્પદ હાલતમાં પસાર થતા પોલીસે પીછો કરી ચોટીલા થી ચાર કીમી દુર અટકાવી તલાશી લેતા ભુસાનાં કોથળાની આડમાં પરપ્રાતિય ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલ બોટલ નંગ ૮૧૦૦ મળી આવેલ હતી અને પોલીસે ટ્રેલર અટકાવતા એક શખ્સ નાસી છુટેલ હતો અને ચાલક સહિત ત્રણ જયપુર જીલ્લાનાં રાજસ્થાની જેમા ડ્રાઇવર રાજુ જોધારામ રે. આસલપુર જોમનેર, મહેશ કૈલાશરામ વર્મા મેઘવાલ રે. બોરાજ, રાકેશ કૈલાશભાઇ ગુજર્ર રે. બગરૂબેગસ વાળો પકડાઇ ગયેલ છે
પોલીસે હાલ પકડાયેલ ત્રણ ઈસમો સહિત સુરેન્દ્રનગર રહેતા માલ મંગાવનાર બુટલેગર ચાપરાજભાઇ નાગરાજ ભાઇ કાઠી તેમજ ટ્રેલર માલિક, માલ મોકલનાર અને રેઈડ દરમિયાન નાસી જનાર અને માલ મંગાવના તથા તપાસમાં ખુલે તે તમામ સામે રૂ. ૨૪.૩૦૦૦ નો દારૂ, ટાટા કંપનીનું ટ્રેલર રૂ. ૧૫૦૦૦૦૦,મોબાઇલ નંગ ૪ રૂ. ૯૦૦૦,રોકડા રૂ. ૧૭૦૦ વાહાન, આરટીઓ ટોલટેકસની પાવતી સહિત ડોક્યુમેન્ટની ફાઇલ મળી કુલ ૩૯.૪૦.૭૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓના એકબીજાનાં મેળાપીપણાથી વિદેશી દારૂની હેરાફેરી, કટીંગ કરવા તેમજ પ્રતિબંધિત ગુજરાત રાજયમાં વેચાણ સારૂ મોકલી ગુન્હો કર્યાની ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરેલ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
મોરબી, તા.૧૮
મોરબીના ગાંધીધામ નેશનલ હાઈ - વે પર માળિયા ચેક પોસ્ટ પાસેથી રાજકોટ સાયબર સેલની ટીમે બાતમીના આધારે ભંગારની આડમાં લવાતો રૂા.૧૮ લાખનો વિદેશી દારુ ભરેલો ટ્રક ઝડપી પાડી કુલ રૂા.૩૮.૧૩ લાખનો મુદામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જની ...
મોરબી, તા.૧૮
મોરબીના ગાંધીધામ નેશનલ હાઈ - વે પર માળિયા ચેક પોસ્ટ પાસેથી રાજકોટ સાયબર સેલની ટીમે બાતમીના આધારે ભંગારની આડમાં લવાતો રૂા.૧૮ લાખનો વિદેશી દારુ ભરેલો ટ્રક ઝડપી પાડી કુલ રૂા.૩૮.૧૩ લાખનો મુદામાલ સાથે ડ્રાઈવરની ધરપકડ કરી હતી. પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જની રીડર બ્રાંચમાં આવેલ ખાનગી હકીકત આધારે ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ દ્વારા સાયબર સેલની ટીમને હકીકત આધારે રેઇડ કરવા સુચના કરતા સાયબર સેલના હેઙકોન્સ. સુરેશભાઇ હુંબલ, કુલદીપસિહ ચુડાસમા તથા શક્તિસિહ ઝાલા નાઓએ હકીકત આધારે મોરબી જીલ્લાના માળીયા(મી.) પો.સ્ટે. વિસ્તારમાં આવેલ ગાંધીધામ નેસનલ હાઇ-વે માળીયા(મી.) ચેકપોસ્ટ પાસેથી ટ્રક નં. આરજે-૦૯-જીબી-૯૮૯૬ ના ડ્રાઇવર રણબીર ચંદર દીપચંદ મલીક (રહે. ગામ-ખાનપુર કલા, હરીયાણા) વાળાને ભારતીય બનાવટની ઇંગ્લીશ દારુની બોટલ નંગ-૬,૦૨૪ (કિ. રૂ. ૧૮,૦૭,૨૦૦) તથા ટ્રક-૧ તથા મોબાઇલ ફોન-૧, રોકડા રૂપીયા મળી કુલ રૂ.૩૮,૧૩,૭૦૦ના મુદ્દામાલ સાથે અટક કરી અન્ય સહઃઆરોપીઓ પવનકુમાર રામકુમાર યાદવ, મનોજ યાદવ, દીપક યાદવ (રહે.બધા જાફરપુર થાણા નજફગઢ) જી.દિલ્હી વેસ્ટ, મુનશી રાજેશ યાદવ રે.કરકડી તા.નજફગઢ દિલ્હી તથા સદર ઇંગ્લીશ દારુનો જથ્થો મંગાવનાર તમામ વિરુધ્ધ માળીયા(મી.) પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
આરોપીઓ ટ્રકમાં રહેલ - ફુટેલ બોટલોના ભંગારની આડમાં દારુ છુપાવી લાવતા હતા. ટ્રકમાં ઉપરના ભાગે બોટલોનો ભંગાર અને નીચે દારુ છુપાવ્યો હતો પરંતુ પોલીસે તેમની આ તરકીબને સફળ થવા દીધી ન હતી.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જસદણ, તા.૧૮
જસદણ તાલુકાના શિવરાજપુર ગામ નજીક બળદગાડુ ચેકડેમના ખાડામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં આટકોટની મહીલાનું ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું જયારે પતિ અને બે પુત્રીઓનો બચાવ થયો હતો તથા એક નાની પુત્રીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ આટકોટ રહેતો દેવીપૂ...
જસદણ, તા.૧૮
જસદણ તાલુકાના શિવરાજપુર ગામ નજીક બળદગાડુ ચેકડેમના ખાડામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો જેમાં આટકોટની મહીલાનું ગંભીર ઇજા થતા મોત નીપજયું હતું જયારે પતિ અને બે પુત્રીઓનો બચાવ થયો હતો તથા એક નાની પુત્રીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ આટકોટ રહેતો દેવીપૂજક પરિવાર બળદગાડુ લઇ પતિ - પત્નિ અને બે બાળકી ગત શનિવારે રાત્રે જઇ રહ્યા હતા ત્યારે જસદણના શિવરાજપુર ગામ નજીક ગરેડીયા નદીના ચેકડેમ નજીક પહોંચ્યા ત્યારે અંધારાના કારણે બળદગાડુ રોડ નીચે ઉતરી જતા ૨૦ ફૂટ ઉંડા ખાડામાં ખાબકયુ હતું. જેના બળદગાડામાં સવાર આટકોટના મુકતાબેન અરવિંદભાઇ વાઘેલા (ઉ.વ.૩૩)નું ગંભીર ઇજા થતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જયારે પતિ અને બે પુત્રીઓનો ચમત્કારીક બચાવ થયો હતો. બનાવની જાણ થતા જસદણ ફાયર બ્રિગેડનો સ્ટાફ અને શિવરાજપુરના સેવાભાવી યુવાનો દોડી ગયા હતા અને મહા મહેનતે ૨૦ ફુટ ઉંડા પાણીમાંથી મહીલાની લાશ બહાર કાઢી હતી જયારે અઢી વર્ષની બાળકીને સામાન્ય ઇજા થતા સારવાર માટે જસદણની સરકારી હોસ્પિટલે ખસેડાઇ હતી.
આ અંગે જસદણ પોલીસ મથકના જમાદાર રાજેશભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક કાગળો કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવથી દેવીપૂજક પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
ભાવનગર, તા.૧૮
સુરતના મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ પરથી કૂદેલા બિલ્ડરની લાશ ત્રીજા દિવસે કાપોદ્રા બ્રિજ પાસેથી મળી હતી. બિલ્ડરે ગુરુવારે તાપીમાં ભૂસકો માર્યો હતો. આર્થિક સંકડામણને કારણે બિલ્ડરે તાપીમાં મોતની છલાંગ લગાવી હોવાની દિશામાં પોલીસ તપાસ કરશે.
ફાયરપાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નાના વરાછા ચી...
ભાવનગર, તા.૧૮
સુરતના મોટા વરાછા સવજી કોરાટ બ્રિજ પરથી કૂદેલા બિલ્ડરની લાશ ત્રીજા દિવસે કાપોદ્રા બ્રિજ પાસેથી મળી હતી. બિલ્ડરે ગુરુવારે તાપીમાં ભૂસકો માર્યો હતો. આર્થિક સંકડામણને કારણે બિલ્ડરે તાપીમાં મોતની છલાંગ લગાવી હોવાની દિશામાં પોલીસ તપાસ કરશે.
ફાયરપાસેથી પ્રાપ્ત વિગત અનુસાર નાના વરાછા ચીકુવાડીમાં સ્નેહમુદ્રા સોસાયટીમાં રહેતા અને મૂળ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના શોભાવડ ગામના વતની ૩૫ વર્ષિય શૈલેષ પ્રેમજી વઘાસિયાએ ગુરુવારે વહેલી સવારે સવજી કોરાટ બ્રિજ પરથી તાપીમાં છલાંગ લગાવી હતી.
બ્રિજ પર મોપેડ અને ચંપલ મૂકીને છલાંગ મારી હતી. સનિવારે ત્રીજા દિવસે તાપીમાં શૈલેષની શોધખોળ કરતા કાપોદ્રા બ્રિજ પાસેથી મળી હતી. ફાયરે કાપોદ્રા પોલીસને લાશને કબજો સોંપ્યો હતો. પોલીસે પીએમ માટે લાશ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી.
શૈલેષે સ્યુસાઈડ નોટ લખીને બ્રિજ પર મોપેડ અને ચંપલ મૂકીને છલાંગ મારી હતી. પરંતુ તેની કોઇ ભાળ મળી નહતી. કાપોદ્રા પોલીસે કેસની વધુ તપાસ હાથ ધરી છે. હાલમાં શહેરમાં કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં કારમી મંદી છે. તેથી, આર્થિક સંકડામણને કારણે બિલ્ડરે આત્મહત્યા કરી હોવાની દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા.૧૮
દીવ સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા જીલ્લા સ્તરની બેન્ડ સ્પર્ધા યોજાઈ. શિક્ષક અરવિંદ સોલંકી દ્વારા સ્પર્ધા વિષેની માહિતી આપવામાં આવી. સ્પર્ધા બોયસ અને ગર્લ્સ બંનેની અલગ વિભાગમાં યોજાઈ. બોયસમાં શાળા દીવ અને બીજા ક્રમે સરકારી માધ્યમિક કુમાર શાળા ઘોઘલા એ પ્રાપ્ત કર્યો ગર્લ્સ વિભાગમાં ...
દીવ, તા.૧૮
દીવ સમગ્ર શિક્ષા, શિક્ષણ વિભાગ દીવ દ્વારા જીલ્લા સ્તરની બેન્ડ સ્પર્ધા યોજાઈ. શિક્ષક અરવિંદ સોલંકી દ્વારા સ્પર્ધા વિષેની માહિતી આપવામાં આવી. સ્પર્ધા બોયસ અને ગર્લ્સ બંનેની અલગ વિભાગમાં યોજાઈ. બોયસમાં શાળા દીવ અને બીજા ક્રમે સરકારી માધ્યમિક કુમાર શાળા ઘોઘલા એ પ્રાપ્ત કર્યો ગર્લ્સ વિભાગમાં પ્રથમ ઉચ્ચતર માધ્યમિક કન્યા શાળા ઘોઘલા એ પ્રાપ્ત કર્યો. વિજેતા ટીમ દમણ મુકામે ૧૯ નવેમ્બરની અન્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. આ કાર્યક્રમનાં અધ્યક્ષ આસિ. ડાયરેક્ટર ઓફ એજ્યુકેશન દિલાવર મનસુરી તેમજ સ્પર્ધામાં નિર્ણાયક તરિકે આસિ. કમાન્ડેડ આઈઆરબીએન ભારત વાજા, પી.આઈ. પંકજ ટંડેલ, પીએસઆઈ ધનજી જાદવ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન માનસીન બાણમીયાએ કર્યું હતું.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા.૧૮
ઉનામાં હુઝુર ઔલાદે ગોર્ષ આઝમ હુઝુર મીરાં સૈયદશાહ બાબા કાદરીયુલ જીલાની (ર.અ.)નો ઉર્ષ તા. ૧૯ નવેમ્બર મંગળવારના રોજ શાનો-સોકતથી ઉજવાશે. જેમાં સાંજે ચારપોથી અને ખુસુસી દુઆ બાદ આમ ન્યાઝ શશે. અને રાત્રીનાં ઈશાની નમાઝ બાદ ખત્મે કાદરીયા અને મીજલશ થશે. જેમાં નાત્ખવા સૈયદ શાયાન બાપુ કાદરી-રાજકોટ અને ઈદ...
દીવ, તા.૧૮
ઉનામાં હુઝુર ઔલાદે ગોર્ષ આઝમ હુઝુર મીરાં સૈયદશાહ બાબા કાદરીયુલ જીલાની (ર.અ.)નો ઉર્ષ તા. ૧૯ નવેમ્બર મંગળવારના રોજ શાનો-સોકતથી ઉજવાશે. જેમાં સાંજે ચારપોથી અને ખુસુસી દુઆ બાદ આમ ન્યાઝ શશે. અને રાત્રીનાં ઈશાની નમાઝ બાદ ખત્મે કાદરીયા અને મીજલશ થશે. જેમાં નાત્ખવા સૈયદ શાયાન બાપુ કાદરી-રાજકોટ અને ઈદરીસખાન સાહબ અશરફી- બાલાસીનોર તકરીર કરશે. ઉર્ષના દરેક કાર્યક્રમમાં હાજરી આપવા બડે પીર સાહબ દરગાહ શરીફની ટ્રસ્ટની યાદીમાં જણાવ્યું છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા.૧૮
દીવના વણાંકબારા કોમ્યુનીટી હોલ ખાતે દીવ કલેક્ટર સલોની રાયના માર્ગદર્શનમાં જીલ્લા પંચાયતના ચીફ એજ્યુકેટીવ ઓફિસર વૈભવ રીખારીની અધ્યક્ષતામાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ માટે તાલીમ યોજાઈ. દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) દ્વારા વણાંકબારા અને સાઉદીવાડીની સેલ...
દીવ, તા.૧૮
દીવના વણાંકબારા કોમ્યુનીટી હોલ ખાતે દીવ કલેક્ટર સલોની રાયના માર્ગદર્શનમાં જીલ્લા પંચાયતના ચીફ એજ્યુકેટીવ ઓફિસર વૈભવ રીખારીની અધ્યક્ષતામાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ માટે તાલીમ યોજાઈ. દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન (એનઆરએલએમ) દ્વારા વણાંકબારા અને સાઉદીવાડીની સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ તાલીમ સુમંગલ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મીના ઠાકુર દ્વારા આપવામાં આવી. તાલીમમાં મહિલાઓને કોટનમાંથી માટી બનાવવાની તાલીમ અપાઈ. તાલીમ મશીન દ્વારા અપાઈ. મહિલાઓને તાલીમ આપવાનો મુખ્ય ઉદેશ તેમને સ્વનિર્ભર બનાવવાનો છે. આ કાર્યક્રમમાં મામલતદાર ચંદ્રહાસ વાજા. જીલ્લા પંચાયતના ઉપપ્રમુખ અશ્વીનીબેન, ભરત સરપંચ વિરજી લકમને, પંચાયતના સભ્યો, મંત્રી રાજેશ દમનીયા, બાળ સુરક્ષા અધિકારી મૈત્રીબેન ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
દીવ, તા.૧૮
દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થી ભાઇબહેનો ને યોગા વિષેનું પ્રશિક્ષણ આપવામાં આવયું. આ યોગાનું માર્ગદર્શન આરોગ્ય વિભાગના ભરતભાઇ ડાભી દ્વારા આપવામાં આવ્યું. યોગા જીવનમાં તંદુરસ્તી આપે છે અને યોગાના મહત્વ વિષે વિસ્તૃતમાં સમજુતિ આપી. દરેક વિદ્યાર્થી ભાઇબહેનો એ યોગા કરી અને ય...
દીવ, તા.૧૮
દીવની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં વિદ્યાર્થી ભાઇબહેનો ને યોગા વિષેનું પ્રશિક્ષણ આપવામાં આવયું. આ યોગાનું માર્ગદર્શન આરોગ્ય વિભાગના ભરતભાઇ ડાભી દ્વારા આપવામાં આવ્યું. યોગા જીવનમાં તંદુરસ્તી આપે છે અને યોગાના મહત્વ વિષે વિસ્તૃતમાં સમજુતિ આપી. દરેક વિદ્યાર્થી ભાઇબહેનો એ યોગા કરી અને યોગા વિષેનું જ્ઞાન મેળવ્યું. આ પ્ર્રસંગે શાળાનો તમામ સ્ટાફ પણ ઉપસ્થિત રહેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
હળવદ, તા. ૧૮
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે સાથે અગરિયા પરિવારો ને પણ મોટુ નુકશાન થવા પામ્યું છે ત્યારે અગરિયા પરિવારો ને વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેમજ સોલાર પ્લાન્ટની લોન માફ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધી લેખિતમાં હળવદ ધ્રાંગધ્રાના ઠાકોર સમાજના યુવા અગ્રણી પ...
હળવદ, તા. ૧૮
કમોસમી વરસાદને કારણે ખેડૂતોની સાથે સાથે અગરિયા પરિવારો ને પણ મોટુ નુકશાન થવા પામ્યું છે ત્યારે અગરિયા પરિવારો ને વહેલી તકે નુકસાનીનું વળતર ચૂકવવામાં આવે તેમજ સોલાર પ્લાન્ટની લોન માફ કરવામાં આવે તેવી માંગ સાથે મુખ્યમંત્રીને સંબોધી લેખિતમાં હળવદ ધ્રાંગધ્રાના ઠાકોર સમાજના યુવા અગ્રણી પપ્પુભાઈ ઠાકોર દ્વારા ધ્રાંગધ્રા પ્રાંત અધિકારીને રજૂઆત કરાઈ છે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
વેરાવળ તા. ૧૬
ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી રહેવરની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન સમિતીની બેઠકમાં તેઓએ જિલ્લાના અધિકારીઓને જણાવ્યું કે, સરકારી જે તે વિભાગના પેન્ડીંગ પ્રશ્નોનો સમય મર્યાદામાં તુરંત નિકાલ કરવો.સંકલન સમિતિના પત્રકો નિયત સમય મર્યા...
વેરાવળ તા. ૧૬
ઈણાજ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લાની સંકલન સમિતીની બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારી રહેવરની ઉપસ્થિતિમાં યોજાયેલ સંકલન સમિતીની બેઠકમાં તેઓએ જિલ્લાના અધિકારીઓને જણાવ્યું કે, સરકારી જે તે વિભાગના પેન્ડીંગ પ્રશ્નોનો સમય મર્યાદામાં તુરંત નિકાલ કરવો.સંકલન સમિતિના પત્રકો નિયત સમય મર્યાદામાં જિલ્લાકક્ષાએ મોકલી આપવા તેમજ સંકલન સમિતિની બેઠકમાં અધિકારીઓને હાજર રહેવા કહ્યું હતું. ધારાસભ્ય ભગવાનભાઈ બારડે રોડ-રસ્તાના પ્રશ્નો માટે સકારત્મક નિર્ણય લેવા જણાવ્યુ હતુ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જુનાગઢ, તા.૧૬,
જુનાગઢ સરકારી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આગામી તા. ૨૧મી નવેમ્બરે સવારે ૯-૦૦ કલાકે મનપાના નાયબ કમિશ્નર નંદાણીયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જુનાગઢ મનપાના વોર્ડનંબર ૮, ૯, ૧૦, ૧૧નાં કલ્સ્ટરમાં સમાવિષ્ટ વોર્ડનો યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ કલ્સ્ટરનાં વિસ્તારને આવરીને આયોજીત ...
જુનાગઢ, તા.૧૬,
જુનાગઢ સરકારી ગર્લ્સ હાઈસ્કુલ ખાતે આગામી તા. ૨૧મી નવેમ્બરે સવારે ૯-૦૦ કલાકે મનપાના નાયબ કમિશ્નર નંદાણીયાની અધ્યક્ષતામાં સેવાસેતુ કાર્યક્રમ યોજાનાર છે. જુનાગઢ મનપાના વોર્ડનંબર ૮, ૯, ૧૦, ૧૧નાં કલ્સ્ટરમાં સમાવિષ્ટ વોર્ડનો યોજાનાર સેવાસેતુ કાર્યક્રમ કલ્સ્ટરનાં વિસ્તારને આવરીને આયોજીત થનાર ઉક્ત વોર્ડનાં નગરજનોએ તેમનાં પ્રશ્નો, રજુઆતો સેવાસેતુ કાર્યક્રમ સવારે ૯-૦૦ થી ૧૧-૦૦નાં સમયગાળામાં કરી શકશે.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ, તા.૧૮
જુનાગઢ શહેરમાં શનિવારે શહેર ભારતીય જનતા પાટર્ી દ્વારા આઝાદ ચોક ખાતે સુપ્રીમ કોટર્ દ્વારા રાફેલ મુદ્દાની કોંગ્રેસે કરેલ અરજીને ફગાવી દેવામાં આવેલ જેથી રાહુલ ગાંધી દ્વારા રાફેલ મુદ્દે વિરોધમાં ટિપ્પણી કરવામાં આવેલ હતી તેના વિરોધ માં જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધાત્મક ધરણા કાર્યક્રમ ...
જૂનાગઢ, તા.૧૮
જુનાગઢ શહેરમાં શનિવારે શહેર ભારતીય જનતા પાટર્ી દ્વારા આઝાદ ચોક ખાતે સુપ્રીમ કોટર્ દ્વારા રાફેલ મુદ્દાની કોંગ્રેસે કરેલ અરજીને ફગાવી દેવામાં આવેલ જેથી રાહુલ ગાંધી દ્વારા રાફેલ મુદ્દે વિરોધમાં ટિપ્પણી કરવામાં આવેલ હતી તેના વિરોધ માં જુનાગઢ શહેર ભાજપ દ્વારા વિરોધાત્મક ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે જુનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ, શહેર ભાજપ પ્રમુખ, કોર્પોરેટર લાલિતભાઈ સુવાગિયા, હરેશભાઇ પરસાના, આદ્યશક્તિબેન મજમુદાર સહિતના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં, અને યોજાયેલાં વિરોધાત્મક ધરણામાં સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ધરણા સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પીસીઆરએ વચ્ચે થયેલ એમ.ઓ.યુ.
જૂનાગઢ, તા. ૧૮
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન વચ્ચે ૫ વર્ષ માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે. આ એમ.ઓ.યુ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વાર...
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પીસીઆરએ વચ્ચે થયેલ એમ.ઓ.યુ.
જૂનાગઢ, તા. ૧૮
જુનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન વચ્ચે ૫ વર્ષ માટે એમ.ઓ.યુ કરવામાં આવેલ છે. આ એમ.ઓ.યુ અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને પેટ્રોલીયમ કન્ઝર્વેશન રીસર્ચ એશોસીયેશન દ્વારા કૃષિ યુનિવર્સિટી દ્વારા થતી જુદી જુદી વિસ્તરણ પ્રવૃતિઓથી ખેડૂતો તેમજ મહિલાઓ માટે જાગૃતિ લાવવા માટે પેટ્રોલીયમ કન્ઝર્વેશન કાર્યક્રમો ગોઠવવામાં આવશે.
આ એમ.ઓ.યુ. થવાથી ખેડૂતો યોગ્ય પ્રકારનાં પંપ સેટ તેમજ, તેના ફિટિંગ્સ અને યોગ્ય પધ્ધતિથી પિયત આપી શકાય, જેનાથી ડીઝલ અને વિજશક્તિનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકે, પિયત અને ખેતીકાર્યોમાં વપરાતી મશીનરી દ્વારા ડીઝલ અને વિજ્શાક્તિનો બિનજરુરી ખર્ચ ઘટાડી શકાય, ગૃહ વિજ્ઞાન અંતર્ગત ઘરગથ્થું વિજળી ઉપકરણનો ઉપયોગ, કેરોસીન, સોલાર તેમજ એલપીજી ગેસનો કાર્યક્ષમ ઉપયોગ થાય તેમજ સાથે સાથે પર્યાવરણની જાળવણી થાય છે તે મુખ્ય ઉદેશ છે. આ એમ.ઓ.યુનું વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. વી.વી.રાજાણી અને પીસીઆરએનાં દેબાશીસ રોય, ચીફ રીઝીયોનલ કોડર્ીનેટર, મુબઇ દ્વારા આપલે કરવામાં આવ્યું હતું. આ તકે જુનાગઢ કૃષિ યુનિ.ના કુલપતિ ડો.વી.પી.ચોવટિયાએ યુનિવર્સીટીમાં ચાલતી વિસ્તરણ પ્રવૃતિઓમાં આ વિષય આવરી લેવાશે તેમ જણાવ્યુ હતું. આ પ્રસંગે કુલ સચિવ ડો.પી એમ. ચૌહાણ, ઉપરાંત ડો. વી.જે. સાવલિયા, ડો. જી. આર.ગોહીલ અને ડો. અમિત પોલરા ખાસ ઉપસ્થિત રહેલ હતા.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
પોરબંદર, તા. ૧૮
પોરબંદરની જલારામ મિત્ર મંડળ નામની સંસ્થા અવાર-નવાર એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવે છે. એનીટાઇમ મેરેજ અંતર્ગતના આ લગ્ન જલારામ આદર્શ લગ્નવિધી અનુસાર છાંયાની વાલીમા લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં પોરબંદરના બીપીનભાઇ નારણદાસ રાડીયાની દિકરી નેહાના લગ્ન રાજકોટના અશ્વિન...
પોરબંદર, તા. ૧૮
પોરબંદરની જલારામ મિત્ર મંડળ નામની સંસ્થા અવાર-નવાર એટીએમ લગ્નનું આયોજન કરવામાં આવે છે. એનીટાઇમ મેરેજ અંતર્ગતના આ લગ્ન જલારામ આદર્શ લગ્નવિધી અનુસાર છાંયાની વાલીમા લોહાણા મહાજનવાડી ખાતે યોજવામાં આવ્યા હતા જેમાં પોરબંદરના બીપીનભાઇ નારણદાસ રાડીયાની દિકરી નેહાના લગ્ન રાજકોટના અશ્વિનભાઇ જેન્તીલાલ તેજુરાના પુત્ર જય સાથે થયા હતા જેનો તમામ ખર્ચ અને વ્યવસ્થા આ પ્રસંગના મુખ્ય યજમાન સ્વ.કાંતિલાલ પ્રભુદાસ તથા રસીલાબેન કારીયા પરિવાર તરફથી ભોગવવામાં આવ્યો હતો ત્યારે આગામી રપમાં લગ્ન તા. ૮/૧રના યોજાશે તેવી જાહેરાત થઇ હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા જલારામ મિત્ર મંડળના પ્રમુખ અરવિંદભાઇ રાજા, રાકેશભાઇ મોનાણી તથા મુકેશભાઇ પી. કકકડ, મિલન આર. ચોટાઇ, રસીકભાઇ તન્ના, બ્રિજેશભાઈનો સહયોગ મળેલ.
~ શ્રી નૂતન સૌરાષ્ટ્ર દ્વારા
જૂનાણાવાસીઓ માટે મુખ્યમંત્રી રૂપાણીનું જનહિતકારી વલણ...
જુનાગઢ, તા.૧૮
રાજ્યના મુખ્યમંત્રીનો જૂનાગઢની જનતા માટેનાં જનહિતકારી આગમનના કારણે શહેરના લોકોને માટે માથાના દુઃખાવારૂપ થઇ ગયેલ ફાટક સમસ્યાથી છુટકારો મળે તેવા સારા સમાચાર સાંપડી રહ્યાં છે અને જુનાગઢની ફાટક અને ટ્રાફીક સમસ્યા નિવારવા માટે...
જૂનાણાવાસીઓ માટે મુખ્યમંત્રી રૂપાણીનું જનહિતકારી વલણ...
જુનાગઢ, તા.૧૮
રાજ્યના મુખ્યમંત્રીનો જૂનાગઢની જનતા માટેનાં જનહિતકારી આગમનના કારણે શહેરના લોકોને માટે માથાના દુઃખાવારૂપ થઇ ગયેલ ફાટક સમસ્યાથી છુટકારો મળે તેવા સારા સમાચાર સાંપડી રહ્યાં છે અને જુનાગઢની ફાટક અને ટ્રાફીક સમસ્યા નિવારવા માટે ગ્રોફેડ પાસે નવું મીટર ગેજ રેલ્વે સ્ટેશન બનાવવાનો સૈધ્ધાંતિક સ્વીકાર કરી કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવતા જુનાગઢવાસીઓ ગેલમાં આવી ગયા છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુનાગઢની મધ્યમાંથી નીકળતી જુનાગઢ-વિસાવદર મીટર ગેજ રેલ્વે લાઇન ઉપર આવતી ફાટકોથી લોકોને પડતી પારાવાર મુશ્કેલી અને માથાના દુઃખાવારૂપ બની ગયેલ ટ્રાફીક સમસ્યાઓમાંથી જુનાગઢવાસીઓ મુકત થાય તે માટે જુનાગઢ શહેરની મધ્યમાં આવેલ મીટરગેજ સ્ટેશનને શીફ્ટ કરી ગ્રોફેડ પાસે નવું રેલ્વે સ્ટેશન બનાવવાનો જનહિત અભિગમ આપવા અંગે કેન્દ્ર સરકાર રજુઆત કરવાનો નિર્ણય કર્યો હોવાનું જાણવા મળેલ છે.
આ માટે મુખ્યમંત્રી રૂપાણી દ્વારા વહીવટી તંત્ર દરખાસ્ત તૈયાર કરી તેમને તથા કેન્દ્ર સરકારને મંજુરી માટે મોકલી તેના ફોલોઅપની સુચના પણ આપી હોય તથા કેન્દ્ર સરકાર દ્વારા નવા મીટરગેજ રેલ્વે સ્ટેશન માટેની મંજૂરી માટે તેઓ જાતે વડાપ્રધાન તથા રેલવે મંત્રીને મળી સત્વરે યોગ્ય કરાવશે તેવી પણ કટીબદ્ધતા જણાવતા જૂનાગઢ શહેરનો વર્ષો જૂનો ટ્રાફિકજામ અને ફાટક બંધના પ્રશ્નનો અંત આવશે અને શહેરના વિકાસની નવી દિશા ખુલશે.
અમદાવાદ,તા.૧૪
નરોડા નિકોલ રોડ પર આવેલી એક સોસાયટીમાં માતા સાથે હેતી ૨૭ વર્ષીય યુવતીના ધોળકા વર્ષ ૨૦૧૪માં લગ્ન થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓ સારી રીતે રાખતા હતા. પણ છેલ્લા ઘણા સમયથી સાસરિયાઓએ ત્રાસ ગુજારવાનું શરૂ કરી દીધું હતું. થોડા દિવસો પહેલા પરિણીતા સીડી પરછથી પડી ગઇ હોવાથી તેને પગમાં ઇજાઓ પહોંચી હતી. સારવાર બાદ તેને પગમાંખોડ રહી ગઇ હતી. જેથી તેનો પતિ આરામ કરવા માટે પિયરમાં મૂકી ગયો હતો. પણ બાદમાં ખોડ થઇ ગઇ હોવાથી તેને સાથે બોલતો ન હતો.
બાદમાં સાસુ, સસરા, નણંદ અને પતિ સહિતના લોકોએ તેને મહેણા મારવાનું શરૂ કરી દીધું હતું. લગ્ન જીવન ન ભાંગે તે માટે પરિણીતા આ ત્રાસ સહન કરતી ગઇ. પણ આખરે સાસરિયાઓએ ત્રાસ ગુજારવાની સાથે સાથે દહેજની માંગણી કરી હતી. જેથી પરિણીતાએ કંટાળીને પોલીસને અરજી આપી હતી. કૃષ્ણનગર પોલીસે આ બાબતે પરિણીતાની ફરિયાદ લઇ આરોપીઓ સામે આઇપીસી ૪૯૮-ક, ૨૯૪ ખ, ૫૦૬(૧), ૩૨૩, ૧૧૪ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આણંદ,તા.૧૪
દેશના ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ આણંદ-વિદ્યાનગરમાં જુદા-જુદા કાર્યક્રમ અંતર્ગત ૨ દિવસીય મુલાકાતે આવ્યા છે. આ સમયે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓએ ઉપરાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. આ ઉપરાંત આણંદ ખાતે ઇન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદના ૪૦માં સ્થાપના દિનની ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતિમા ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ઉપરાષ્ટ્રપતિએ ઇરમાની કોફી ટેબલ બુકનું વિમોચન કર્યું હતું. તેમજ એન.ડી.ડી.બી., ઇરમા, અમૂલ, જીસીએમએમએફની વિકાસગાથા દર્શાવતા પ્રદર્શનની મુલાકાત પણ લીધી હતી.
ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારે ગામડાંઓના વિકાસને પ્રાધાન્ય આપી ગામડાંઓમાં પાયાની માળખાગત એવી વીજળી, પાણી, રસ્તા, સ્વચ્છતા અને શૌચાલયોનું નિર્માણ કર્યું છે. ભારતમાં ખાદ્ય, કૃષિ અને ગ્રામિણ ક્ષેત્રે ૧૦૦૦થી વધુ સ્ટાર્ટ અપ કાર્યરત છે.ઇરમા આગામી બે વર્ષમાં પોતાના કૌશલ્ય અને અનુભવના આધારે ગ્રામીણ ક્ષેત્રે નવા ૧૦૦૦ સ્ટાર્ટ અપ શરૂ કરવામાં અહમ ભૂમિકા નિભાવી શકે તેમ છે.
તેની સાથે સાથે ઉપરાષ્ટ્રપતિએ દેશના ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે આજથી ૪૦ વર્ષ અગાઉ ઇરમાની સ્થાપના કરવા બદલ શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગિસ કુરિયનના યોગદાનને બિરદાવ્યું હતું.
આણંદની મુલાકાતે આવેલા ઉપરાષ્ટ્રપતિએ જણાવ્યું, આણંદમાં આવીને આનંદ મહેસુસ કરૂં છુ. મારા જીવનમાં સૌથી વધુ ગમતું કૃષિ, ગ્રામીણ વિકાસ, પશુપાલન છે. બાજપેયી સરકારમાં મેં સામેથી કૃષિ મંત્રાલય માંગ્યું હતું. પરંતુ તેમણે બાજપેયીજીએ કહ્યું કે કૃષિ ખાતુ બીજાને ફાળવી દીધું હતું. એટલે તમારે બીજો કોઈ વિભાગ જોઈતો હોય તો કહો. એટલે મેં ના પાડી હતી. કારણ કે, ભારતના ૬૮.૮ ટકા લોકો ગ્રામ્યમાં જીવે છે. ગાંધીજીએ આઝાદી પછી બે સલાહી આપી હતી. કે આઝાદીની ચળવળ મેળવવા માટે કોંગ્રેસ એક પ્લેટફોર્મ હતું. હવે, આઝાદી મળી ગઈ છે એ પછી કોંગ્રેસના પ્લેટફોર્મને બંધ કરો.
સુરત,તા.૧૪
સુરતમાં ખટોદરા વિસ્તારમાં આવેલા યુનિક હોસ્પિટલ નજીક કેન્ર રોડ પર એક સ્કૂલ બસ દ્વારા એક ગાડીને ટક્કર મારવામાં આવી હતી. જોકે, ટક્કર માર્યા બાદ બસને ત્યાં લોકોએ અટકાવી હતી. લોકોએ ડ્રાઇવરને બસમાંથી બહાર લાવતા ડ્રાઈવરના મોંઢામાંથી દારૂની દુર્ગંધ આવતી હતી. આ દરમિયાન મોટી સંખ્યામાં અન્ય લોકો પણ એકઠા થઈ ગયાં હતાં.
રેડિયન્ટ સ્કૂલ બસે ગાડીને ટક્કર મારી હતી તે ગાડીના માલિકે બસમાં બેઠેલા વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. ત્યારે તેમણે જણાવ્યું કે, પહેલા પણ એક એક્સિડન્ટ થતાં તેમની બસ બચી ગઈ હતી. જે બાદ આ જાગૃત નાગરિકે બસમાં સવાર બાળકો માટે ૧૦૦ નંબર પર ફોન કરીને આ સમગ્ર ઘટનાની જાણ કરવામાં આવી હતી. જે બાદ તરત જ પીસીઆર વાન ઘટના સ્થળે આવી ગઈ હતી. બાદમાં બસને ખટોદાર પોલીસ સ્ટેશન લઈ જવાઈ હતી. આ ડ્રાઇવર વિરુદ્ધ વધુ તપાસ શરુ કરી છે.
અડાલજ,તા.૧૪
અડાલજમાં આવેલા સોહમ કોલ્ડ સ્ટોરેજ પાસે કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે. જેથી પોલીસે પંચોને સાથે રાખીને ત્યાં રેડ કરી હતી. પોલીસે રેડ કરી ત્યારે સોહમ કોલ્ડ સ્ટોરેજના ગ્રાઉન્ડમાં પહેલા તો ક્રિકેટ મેચ ચાલી રહી હતી. ત્યાં કેટલીક મહિલાઓ મેચ જોઇ રહી હતી. ત્યાં ખૂણામાં કેટલાક લોકો દારૂ પી રહ્યા હતા. પોલીસે રેડ કરી આ દારૂ પીનારા લોકોની ધરપકડ કરી હતી.
પોલીસે રેડ બાદ સ્થલ પરથી દારૂ ભરેલી ૯ બોટલ અને સાત ખાલી બોટલ તથા વાહનો મળી આઠ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો. પોલીસે જણાવ્યું કે આરોપી ઘાટલોડિયામાં રહેતા કેવિન સુનિલભાઇ પટેલની બહેનના લગ્ન હોવાથી તેણે ક્રિકેટ મેચ ટુર્નામેન્ટની સાથે દારૂની પાર્ટી રાખી હતી.
નબીરાં ઝડપાયાપોલીસે ગાંધીનગરના સોહમ પ્રજાપતિ, આંબાવાડીમાં સુક્રુતિ ફ્લેટમાં રહેતા રૂમિત પટેલ અને અંકિત શાહ, બોપલ પારસ બંગલોમાં રહેતા મિલન પટેલ, નારણપુરામાં નંદેગ્રામમાં રહેતા પાર્થ પટેલ, સોલા રોડ પરની સર્વોદય સોસાયટીમાં રહેતા સૌમિલ પટેલ, વસ્ત્રાપુરની ગોપીનાથ સોસાયટીમાં રહેતા સંકેત પટેલ, થલતેજના આનંદ બંગલોમાં રહેતા ધ્રુવ પટેલ, થલતેજના સનસાઇન ફ્લેટમાં રહેતા વિશ્વજીતસિંહ રાણા, એસજી હાઇવે પરના પ્રેમચંદ બંગલોમાં રહેતા નિકુલ પટેલ, ઘાટલોડિયામાં ટી.બી.ન્યુમાં રહેતા કેવિન પટેલ, ઘાટલોડિયા વિશ્વનિકેતન ફ્લેટમાં રહેતા ચિરાગ પટેલ, ઉસ્માનપુરાના લક્ઝુરિયસ ફ્લેટમાં રહેતા જીગર પટેલ તથા નવરંગપુરાની સંધ્યા સોસાયટીમાં રહેતા વંદિત પટેલની ધરપકડ કરાઇ હતી.પોલીસે તમામ આરોપીઓ સામે પ્રોહિબિશન ૬૬(૧)(બી), ૮૫,૮૪,૬૮,૬૫(એ)(ઇ), ૧૧૬ બી, ૮૧ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી હતી.
ગાંધીનગર,તા.૧૪
એલઆરડી પરીક્ષામાં ભરતી દરમિયાન માલધારી સમાજને અન્યાય કરાયો હોવાને લઈ હાલમાં જ લાંબી રેલી, ઉપવાસ સહિતની લડાઈઓ સમાજ દ્વારા લડાઈ રહી છે. આ દરમિયાનમાં ગીતા રબારીએ એલઆરડીની ભરતીમાં થયેલા અન્યાયના આક્ષેપ સાથે આગામી ૧૬મી ડિસેમ્બરે મહારેલીમાં જોડાવાનું આહ્વાન કર્યું છે. ગીતા રબારીએ આ સ્થિતિમાં સમાજે એક થઈ જવું જોઈએ તેવી અપીલ કરી છે.
ગીતા રબારીએ આ ઉપરાંત ૧૬મીએ શાંતિપૂર્ણ રેલીમાં પોતે જોડાશે તેવું પણ કહ્યું છે અને સહુ યુવાનોને પણ તેમાં જોડાઈને સરકારને પોતાની સાથે થયેલા અન્યાય સંદર્ભે રજૂઆત કરવા કહ્યું છે. આ ઉપરાંત ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાએ પણ સરકારને પત્ર લખ્યો છે. જેમાં તેમણે સમાજને ન્યાય મળે તેવી માગણી કરી છે. તથા જે શખ્સો દ્વારા આ ખોટી પ્રવૃત્તિ કરવામાં આવી છે તેમના સામે કાર્યવાહી થાય તેવી માગ પણ કરી છે.
ઉલ્લેખનીય છે કે રબારી, ભરવાડ, ચારુલ સમાજને એલઆરડી પરીક્ષાની ભરતીમાં ગુણ ઊંચા હોવા છતાં ભરતીમાં શામેલ કરાયા નહીં તે બાબતનો રોષ ફેલાયો છે. કારણ તેમના સર્ટીફીકેટ માન્ય ગણવામાં આવ્યા ન હતા. સમાજ દ્વારા વિદ્યાર્થીઓને થયેલા અન્યાય સંદર્ભે હાલમાં જ જુનાગઢમાં પણ મોટી રેલી કરવામાં આવી હતી.
અમદાવાદ,તા.૧૪
રાજ્યમાં દિવસેને દિવસે દુષ્કર્મની ઘટનાઓ વધી રહી છે, રાજકોટ, સુરત અને વડોદરાના નવલખી મેદાનમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ બાદ અમદાવાદના નારોલમાં પણ સગીરા સાથે દુષ્કર્મ થયું હોવાની ઘટના સામે આવી છે. નારોલમાં ૧૨ વર્ષની સગીરા સાથે દુષ્કર્મ થતા તેને સિવિલ હોસ્પિટલના આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવી છે. આ મામલે પોલીસે હાલ અપહરણ અને પોસ્કો હેઠળ ગુનો દાખલ કર્યો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ૧૧ ડિસેમ્બરના રોજ સગીરા ઘરેથી ગુમ થયા બાદ નજીકની સોસાયટી પાસેથી મળી આવી હતી. જેને પગલે સોસાયટીના રહીશોએ આ બાળકીને પોલીસને સોંપી હતી. ત્યાર બાદ પોલીસે આ બાળકીને તેના પરિવારને સોંપી હતી. પરંતુ સાંજે બાળકીએ પેટમાં દુઃખતું હોવાનું પરિવારને ફરિયાદ કરતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જેને પગલે નારોલ પોલીસ ઘટનાસ્થળે અને હોસ્પિટલે પહોંચી હતી.
રાજ્યના ગૃહ વિભાગે વિધાનસભામાં રજૂ કરેલી માહિતી મુજબ, છેલ્લાં પાંચ વર્ષ દરમિયાન ગુજરાતમાં દર ૭ કલાકે એક મહિલા પર બળાત્કાર થઈ રહ્યો છે. સરકારી ચોપડે ૧ જુલાઇ ૨૦૧૪થી ૩૦ જૂન ૨૦૧૯ દરમિયાન કુલ ૬,૧૧૬ બળાત્કારની ફરિયાદો નોંધાઇ છે. તેમાં પણ અમદાવાદ શહેરમાં સૌથી વધુ દુષ્કર્મના કેસ નોંધાયા છે. અમદાવાદમાં મહિલાઓ પર દર બે દિવસે એક બળાત્કારની ફરિયાદ નોંધાય છે અને છેલ્લા પાંચ વર્ષમાં ૮૬૦ રેપની ફરિયાદ થઈ છે.
અમદાવાદ,તા.૧૪
રાષ્ટ્રપતિના ‘નિશાન’ એવૉર્ડ એ પોલીસદળની શ્રેષ્ઠતા અને ગૌરવના પ્રતીકરૂપે અપાય છે. નિશાન એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરાયેલા કામ અને રાષ્ટ્રની સેવામાં આપેલ યોગદાન માટે આપવામાં આવે છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસદળ આ સન્માનથી સન્માનિત થનાર ૭મું રાજ્ય બનશે. અગાઉ આ સન્માન મેળવનાર છ રાજ્યોમાં મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, તમિળનાડુ, ત્રિપુરા અને આસામ રાજય પોલીસ દળનો સમાવેશ થાય છે. ૧૫ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસ એકેડેમી, કરાઇ, ગાંધીનગર ખાતે યોજાનારી સેરીમોનિયલ પરેડમાં ભારતના ઉપ-રાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ દ્વારા ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ એનાયત કરશે.આ કાર્યક્રમમાં ખાસ રીતે ડિઝાઇન કરવામાં આવેલ ધ્વજ અને વિશેષ સ્મૃતિચિહ્ન ગુજરાત પોલીસને એનાયત કરવામાં આવશે.
રાષ્ટ્રપતિ નિશાન એવૉર્ડ માટેની દરખાસ્ત ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા ૨૧મી ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ ભારત સરકારના ગૃહ મંત્રાલયને મોકલવામાં આવી હતી. ભારત સરકારના ગૃહ મંત્રાલય ખાતેની સમિતિ કે જેમાં સી.આર.પી.એફ, બી.એસ.એફ, સી.બી.આઈ, આર.એન્ડ એ.ડબ્લ્યુ, ઇન્ટેલિજન્સ બ્યૂરો, ઓડિશા પોલીસ અને હિમાચલ પ્રદેશ પોલીસના વડાઓનો સમાવેશ થાય છે અને તેમના દ્વારા આ પ્રસ્તાવનું મૂલ્યાંકન કરી તેને વડા પ્રધાનની કચેરીમાં મોકલવામાં આવ્યો હતો. ૭મી માર્ચ, ૨૦૧૯ના રોજ ગુજરાત પોલીસને રાષ્ટ્રપતિનો નિશાન એવોર્ડ એનાયત કરાશે એ અંગે જાણ કરવામાં આવી હતી.
રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું કે દેશની મિલિટરી ફોર્સ, પેરા મિલિટરી ફોર્સ અને પોલીસ ફોર્સ કે જેને ૨૫ વર્ષ થઈ ગયાં હોય, તેઓ પ્રેસિડેન્ટ્સ કલર્સ (નિશાન) માટે અરજી કરી શકે છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ સન્માન એ બાબતનું પ્રતીક છે કે આ પોલીસ ફોર્સ ગુણવત્તાભરી સેવા અને સુવિધા પૂરી પાડવામાં સૌથી આગળ છે. પ્રેસિડેન્ટ્સ કલર્સ જે-તે રાજ્યની પોલીસ માટે સર્વશ્રેષ્ઠ સન્માન ગણાય છે.
રાજકોટ,તા.૧૪
રાજકોટમાં હવે સ્થિતિ એવી થવા લાગી છે કે દર ગલી-નુક્કડ પર એક દાદા-ભાઈ ઊભા થવા લાગ્યા છે. અહીં સુધી કે પ્રજાના પ્રતિનિધીઓ અને તેમના પરિવારજનોનો પણ લોકોને ઘણીવાર ત્રાસ સહન કરવો પડતો હોય છે. રાજકોટમાં કોંગ્રેસના કોર્પોરેટરના ભત્રીજાએ તલવારથી એક ગેરેજ સંચાલક પર હુમલો કર્યો હતો. કાર રિપેરિંગના રૂપિયા છેલ્લા બે વર્ષથી આપ્યા તો ન હતા ઉપરથી તે મુદ્દા પર નેતાના ભત્રીજાએ દાદાગીરી કરતાં બંને વચ્ચે ચકમક થઈ હતી જેમાં આખરે તલવારથી નેતાના ભત્રીજાએ હુમલો કરી દીધો હતો.
ગોંડલ રોડ પર એક જે કે મોટર્સ નામનું ગેરેજ છે. જે ગેરેજ મયુરદ્વજસિંહ ભરતસિંબ બારડ (૩૦) ચલાવે છે. તે ગુરુવારે રાત્રીના સમયે ઘર પાસે નવલનગરમાં એ ટૂ ઝેડ નામના ગલ્લા પર મિત્રો સાથે ઊભા હતા. દરમિયાનમાં કોર્પોરેટર વિજય વાંકનો ભત્રીજો સાગર ત્યાં આવી ચઢ્યો અને તેણે પોતાના હાથમાં તલવાર રાખી હતી. તે આંખમાં જનુન અને હાથમાં તલવાર સાથે સામેથી આવતો દેખાયો એટલે મયુરદ્વજસિંહે ત્યાંથી ઘર બાજુ દોટ મુકી. તે ભાગતા હતા ત્યાં સાગર ખુલ્લી તલવાર લઈ તેમની પાછળ ભાગ્યો અને દોડતા દોડતા મયુરદ્વજસિંહ નીચે પડી ગયા અને સાગર નજીક આવી ગયો. સાગરે તલવાર વીંઝી દીધી અને તેમના હાથ અને પગ પર ઘા કર્યા હતા.
બાબત અંગે ઈજાગ્રસ્ત મયુરધ્વજસિંહને સારવાર માટે ખસેડાયા હતા, તેમણે પોલીસને જણાવ્યું કે, વિજય વાંકે પોતાની માઈક્રો કારનું બોડીનું કામ મારી પાસે કરાવ્યું હતું જેના ૧૧ હજાર રૂપિયા લેવાના નિકળતા હતા, થોડા દિવસોમાં તે આપી દેશે તેવી વાત વિજય વાંકે કરી હતી પણ એક મહિનો થયો પણ પૈસા આવ્યા નહીં તેથી મેં ફોન કર્યા હતા પણ વિજયભાઈ ફોન ઉપાડતા ન હતા. જેથી તે પૈસાની ઉઘરાણી બાબતે માથાકુટ ચાલતી હતી જેનો ખાર રાખીને સાગરે મારા પર હુમલો કર્યો છે. જોકે પોલીસે તપાસની વધુ તજવીજ હાથ ધરી છે.
ગાંધીનગર,તા.૧૪
રાજ્યના ઉર્જા વિભાગમાં સરકારી નોકરીની ભરતી માટે પરીક્ષાની જાહેરાત કર્યા બાદ અચાનક જ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી. સરકારની વીજ કંપનીએ વિદ્યુત સહાયક અને જુનિયર એન્જિનિરોની ભરતી પરીક્ષા રદ કરી હતી. આ ભરતી પરીક્ષા ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્ક માટેની હતી. જોકે, આ પરીક્ષા રદ જાહેર કર્યા બાદ સરકારના ઉર્જા વિભાગે મોટો ખુલાસો કર્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ સરકાર આગામી એક સપ્તાહમાં જ ઉર્જા વિભાગની પરીક્ષા જાહેર કરશે અને આર્થિક અનામતના અમલ સાથે બમણી ભરતી કરવામાં આવશે.
પ્રાપ્ત અહેવાલો મુજબ જૂની ભરતીમાં ૮૫૦ જગ્યાઓ માટે પરીક્ષા યોજાનાર હતી હવે ૧૫૦૦ થી વધુ જગ્યાઓ માટે જાહેરાત બહાર પડશે. નવી ભરતીમાં ઇ.ડબલ્યૂ. એસ. (આર્થિક અનામત)નો અમલ કરાશે. આ ભરતીમાં જુનિયર એંજિનિયરની પોસ્ટ માટે માટે લઘુતમ લાયકાત ૫૫ ટકા કરવામાં આવી છે, જ્યારે વિદ્યુત સહાયક માટે એંજિનિયરિંગના સ્નાતક માટે ૫૫% અને ક્લાર્કમાં એની સ્નાતક માટે ૫૫ ટકા નું ધોરણ નિયત કરાયું છે. વીજ કમ્પની દ્વારા જાહેરાત બાદ એક મહિનાની અંદર પરીક્ષા લેવાશે
સરકારી કંપની પીજીવીસીએલ, ડીજીવીસીએલ, એમજીવીસીએલ માટે ૧૫૦ એન્જિનિયરો અને ૭૦૦થી વધુ કલાર્કની પરીક્ષા રદ કરવામાં આવી છે. આની ભરતીનાં ફોર્મ વર્ષ ૨૦૧૮નાં જુલાઇ મહિનામાં ભરાવ્યાં હતાં. જે માટે દરેક ઉમેદવારો પાસેથી ૫૦૦ રૂપિયા લીધા હતાં. ભરતી રદનાં મેસેજમાં તેવું પણ જણાવવામાં આવ્યું છે કે, પરીક્ષા ફોર્મ સમયે ભરવામાં આવેલી ફી રીફન્ડ મળશે. આ અંગેની વધુ માહિતી માટે તમારે વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે. થોડા જ સમયમાં આ અંગેની બીજી જાહેરાત પણ બહાર પાડવામાં આવશે.
08:20 PM | December 14
મુંબઈ,તા.૧૪
દેશના સૌથી મોટા મ્યુચ્યુઅલ ફંડ ડિસ્ટ્રિબ્યુટર પ્લેટફોર્મ બીએસઈ સ્ટાર એમએફ પ્લેટફોર્મએ રૂ.૫,૨૫,૭૧૪ કરોડ મૂલ્યના કુલ ૧૦.૧૯ કરોડ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ હાંસલ કરી છે. ૨૦૦૯માં જ્યારે આ પ્લેટફોર્મનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે ૨૮૬૫ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા ત્યાંથી સતત પ્રગતિ આ પ્લેટફોર્મ કરી રહ્યું છે.
પ્લેટફોર્મ પર સતત નવાં રજિસ્ટ્રેશન અને એસઆઈપીઝમાં વધારો થઈ રહ્યો છે. બીએસઈ સ્ટાર એમએફએ વર્તમાન વર્ષના ઈક્વિટી રોકાણના ૨૬ ટકા ચોખ્ખા પ્રવાહને પ્રાપ્ત કર્યો છે. આ પ્લેટફોર્મ પર ૫૫,૦૦૦ ડિસ્ટ્રિબ્યુટર્સ રજિસ્ટર્ડ છે અને મ્યુચ્યુઅલ ફંડ્સના નવા ટ્રાન્ઝેક્શનના ૪૨ ટકા ટ્રાન્ઝેક્શન્સ બીએસઈ સ્ટાર એમએફ પર થાય છે.
સિદ્ધિ તેમ જ ૧૦ જૂન, ૨૦૧૯ના રોજ એક જ દિવસમાં ૭.૬૨ લાખ ટ્રાન્ઝેક્શન્સ પાર પાડવાની સિદ્ધિ બીએસઈ સ્ટાર એમએફ પ્રાપ્ત કરી ચૂક્યું છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
ખાણીપીણીનો સામાન બાદ હવે દવાઓ પણ મોંઘી થવા જઇ રહી છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇસિંગ ઓથોરિટી (એનપીપીએ)એ ૨૧ જરૂરી દવાઓના ભાવ વધારાની પરવાનગી આપી દીધી છે. આ ભાવ ૫૦ ટકા સુધી વધારવામાં આવશે. માર્કેટમાં મહત્વપૂર્ણ દવાઓની સપ્લાઇને ધ્યાનમાં રાખવાનાં નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતના ડ્રગ્સ પ્રાઈસ રેગ્યુલેટર હેઠળ ૨૧ દવાઓની મહત્તમ છૂટક ભાવમાં ૫૦ ટકાના વધારાની પરવાનગી આપી છે. આ પહેલીવાર છે જ્યારે એનપીપીએ આમ કરી રહ્યા છે.
એનપીપીએ જરૂરી અને જીવનરક્ષક દવાઓની ભાવને ઘટાડા માટે ઓળખવામાં આવે છે. એનપીપીએ આ દવાઓ ઉણપના લીધે મોંઘો વિકલ્પ સિલેક્ટ કરનાર રોગીઓને રોકવા માટે સાર્વજનિક હિતમાં ભાવ વધી રહ્યા છે. મોંઘી થનાર મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારને એપહેલી પંક્તિના રૂપમાં કરવામાં આવે છે અને સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમો માટે અભિન્ન અંગ છે.
૯ ડિસેમ્બરના આયોજિત ઓથોરિટીની બેઠકમાં કહેવામાં આવ્યું કે ઓથોરિટીએ ઉલ્લેખ કર્યો કે ડીપીસીઓ ૨૦૧૩ના ફકરા નંબર ૧૯ હેઠળ ભાવ માટે જે એકવીસ સુનિશ્ચિત ફોર્મ્યુલેશન પર વિચાર કરવામાં આવી રહ્યો છે, તે ઓછા ભાવવાળી દવાઓ છે અને તેમને વારંવાર ભાવ નિયંત્રણના આધિન કરવામાં આવ્યા છે. તેમાંથી મોટાભાગની દવાઓનો ઉપયોગ ઉપચારની પહેલી પંક્તિના રૂપમાં કહેવામાં આવે છે અને દેશના સાર્વજનિક સ્વાસ્થ્ય કાર્યક્રમ માટે મહત્વપૂર્ણ છે. ઘણી કંપનીઓને અસ્થિરતાના કારણે ઉત્પાદનને બંધ કરવા માટે અરજી કરી છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
જનતા દળ યુના નેતા પ્રશાંત કિશોર દિલ્હી વિધાનસભાની આગામી ચૂંટણી વખતે અરવિંદ કેજરીવાલના આપ પક્ગેષ માટે ચૂંટણી પ્રચાર કરશે એવી જાણકારી મળી હતી. મોદી સરકારે નાગરિકતા સુધારા ખરડો રચીને તેનો કાયદો બનાવ્યો અને એ કાર્યમાં જનતા દળ યુના નેતાઓએ સાથ આપ્યો તેથી પ્રશાંત કિશોર ખૂબ નારાજ છે અને શુક્રવારે ત્રીજીવાર તેમણે ટ્વીટર પર આ મુદ્દે પક્ષની નેતાગીરીની આકરી ટીકા કરી હતી.
શુક્રવારે સાંજે જનતા દળ યુના મહામંત્રી એસસીઆર સિંઘે ખુલ્લંખુલ્લા કહ્યું હતું કે પ્રશાંત કિશોરને પક્ષ છોડવો હોય તો ખુશીથી છોડી શકે છે. પ્રશાંત કિશોર ચૂંટણી વ્યૂહ ઘડવાના ચાણક્ય ગણાય છે. ૨૦૧૭માં તેમણે ઉત્તર પ્રદેશમાં જેમને માટે ચૂંટણી વ્યૂહ ઘડ્યો હતો તે પક્ષની સરકાર બનીહતી.
અત્યારે પ્રશાંત કિશોર પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજી સાથે કામ કરી રહ્યા છે. મમતાની જેમ પ્રશાંતે પણ નાગરિકતા સુધારા કાયદાનો જોરદાર વિરોધ કર્યો હતો.
લેટેસ્ટ માહિતી મુજબ હવે પ્રશાંત દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રસંગે અરવિંદ કેજરીવાલ સાથે કામ કરશે. એ જોવાનું રસપ્રદ બની રહેશે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણી પ્રશાંત આપને જીતાડી આપે છે કે કેમ.
પતિએ મેટ્રો ટ્રેન સામે કૂદકો મારતા પત્નીએ પણ આપઘાત કર્યો
ન્યુ દિલ્હી,તા.૧૪
પાટનગર નવી દિલ્હીમાં રહેતા એક પરિવારે આર્થિક સંકડામણના પગલે સામૂહિક આપઘાત કર્યો હતો. મૂળ આ પરિવાર ચેન્નાઇ (તામિલનાડુ)નો રહેવાસી હતી.
મરનાર ભરત ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જનરલ મેનેજરના હોદ્દા પર કામ કરતો હતો. શુક્રવારે સવારે એણે જવાહરલાલ નહેરુ મેટ્રો રોલવે સ્ટેશન પર ટ્રેન આવી રહી હતી ત્યારે કૂદકો મારીને જાન ગુમાવ્યો હતો.
સાંજે એની પત્નીએ પહેલાં પાંચ વર્ષની નાની પુત્રીને ફાંસો આપ્યો હતો અને ત્યારબાદ પોતે પણ પોતાના ગળામાં ફાંસો લઇને જીવન ટૂંકાવ્યું હતું. આ સમાચાર મળતાં પોલીસ તરત ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આપઘાતનું કારણ તપાસવા માટે પણ પોલીસે પૂછપરછ શરૂ કરી દીધી હતી.
ભરત આ પહેલાં પોસ્ટિંગ કાઠમાંડુ (નેપાળ)માં હતો. ત્યાં એ બીગ માર્ટ શોપિંગ મોલમાં કામ કરતો હતો. ત્યાંથી હજુ તો આ વર્ષના સપ્ટેંબરમાં દિલ્હી આવીને ગોલ્ડન ટીપ્સ ટી કંપનીમાં જોડાયો હતો. એની પત્ની શિવરંજની હાઉસવાઇફ હતી અને પુત્રી કેજીમાં ભણતી હતી.
ભરતનો નાનો ભાઇ દિલ્હીના સાકેત વિસ્તારમાં કોઇ કોચિંગ ક્લાસમાં પાઇલટની તાલીમ લઇ રહ્યો હતો.
ઔરંગાબાદ,તા.૧૪
વિશ્વવિખ્યાત સંત સાંઇબાબાના શિરડીમાં અકળ રીતે એક પછી એક વ્યક્તિ ગૂમ થઇ રહી હોવાના મુદ્દે ઔરંગાબાદ હાઇકોર્ટે તપાસ કરવાનો આદેશ આપ્યો હતો.
છેલ્લા એક વર્ષમાં ૮૦થી વધુ વ્યક્તિ ગૂમ થઇ હતી જેનો અતોપતો લાગ્યો નહોતો. શિરડીના નિવાસીઓ એક પછી એક ગૂમ થઇ રહ્યા હોવાના મિડિયા અહેવાલની મુંબઇ હાઇકોર્ટે સુઓ મોટ્ટો અરજી દાખલ કરી હતી અને મુંબઇ હાઇકોર્ટની ઔરંગાબાદ શાખાએ આ મુદ્દે તપાસ કરીને હાઇકોર્ટને રિપોર્ટ આપવાની પોલીસને તાકીદ કરી હતી.
મનોજ કુમાર નામની એક વ્યક્તિએ પોતાની પત્ની ગૂમ થવા અંગે હાઇકોર્ટમાં ધા નાખી હતી. હાઇકોર્ટે પોલીસને તાકીદ કરી હતી કે માનવ તસ્કરીનું આ વ્યવસ્થિત કાવતરું નથી ને એની તપાસ કરીને રિપોર્ટ આપો.
ચાલુ વર્ષમાં ઓક્ટોબરની ૩૧મી સુધીમાં શિરડીના ૮૮ જણ ગૂમ થયા હતા જેમાં થોડીક મહિલાઓનો પણ સમાવેશ થયો હતો. ઔરંગાબાદ હાઇકોર્ટમાં જસ્ટિસ ટીવી નવાડે અને જસ્ટિસ એસએમ ગવાન્હેએ કહ્યુ ંહતું કે મંદિરમાં દર્શન કરવા આવેલી વ્યક્તિ ક્યાં કેવી રીતે ગૂમ થઇ શકે એ સમજાતું નથી. પોલીસે આ બાબતે સઘન તપાસ કરવી જોઇએ કે મહિલાઓ ગૂમ થાય તેની પાછળ માનવ તસ્કરી કરનારી ટોળીનો હાથ નથી ને.
ચાલુ વર્ષમાં ગૂમ થયેલા લોકોમાં મહિલાઓ વધુ હતી એટલે હાઇકોર્ટે ચિંતા વ્યક્ત કરી હતી.
ન્યુ દિલ્હી,તા.૧૪
ભારતના કેન્દ્રીય નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ ૧૩૦૦ કરોડ રૂપિયાના હેરોઇનને લગતા એક આંતરરાષ્ટ્રીય ડ્રગ કૌભાંડની વિગતો જાહેર કરી હતી જેમાં ૧૦૦ કરોડનું હેરોઇન ભારતમાં અને ૧૨૦૦ કરોડનું ઓસ્ટ્રેલિયામાં પકડાયું હતું.
આ પાર્સલ સંબંધે નવ ભારતીયોની ધરપકડ પણ થઇ હતી. નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો અને અન્ય સિક્યોરિટી દળોના સહિયારા પ્રયાસોથી આ કૌભાંડ પકડાયું હતું.
નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના એક પ્રવક્તાએ કહ્યું હતું કે આ કૌભાંડના તાર ભારતનાં નવી દિલ્હી, પંજાબ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડ ઉપરાંત કેનેડા, ઓસ્ટ્રેલિયા, ઇન્ડોનેશિયા, શ્રીલંકા અને કોલંબિયા સુધી લંબાયેલા છે. હાલ એની વિગતવાર તપાસ ચાલી રહી હોવાથી વધુ માહિતી જાહેર કરી શકાય એમ નથી.
ધરપકડ કરાયેલા નવ જણમાં પાંચ ભારતીય, એક અમેરિકી, બે નાઇજિરિયન અને એક ઇન્ડોનેશિયન નાગરિકનો સમાવેશ થાય છે.
ન્યુ દિલ્હી,તા.૧૪
દેશના ભૂતપૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રહ્મણ્યને કહ્યું હતું કે સરકારે તત્કાળ સાવધ થઇ જવાની જરૂર છે. દેશનું અર્થતંત્ર આઇસીયુ તરફ ધસી રહ્યું છે. ગમે ત્યારે ગંભીર મંદીનો સામનો કરવો પડી શકે છે.
હાર્વર્ડ યુનિવર્સિટીના સેન્ટર ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના એક ડ્રાફ્ટ પેપરમાં અરવિંદે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર અત્યારે ટ્વીન બેલેન્સ શીટ્સ જેવા સંકટનો બીજો તબક્કો અનુભવી રહ્યું છે. એના પરિણામે ગંભીર મંદી આવી શકે છે. સરકારે સાવધ રહેવાની ખાસ જરૂર છે.
તેમણે કહ્યું હતું કે આ સામાન્ય મંદી નથી, બહુ ગંભીર મંદી છે અને સરકારે આ તરફ તત્કાળ ધ્યાન આપવાની તાકીદે જરૂર ઊભી થઇ છે.
આ ડ્રાફ્ટ પેપરના સહલેખક ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ભારતીય કચેરીના વડા જોશ ફૈલમેન છે. હાલ હાર્વર્ડ કેનેડી સ્કૂલ ઑફ ઇકોનોમિક્સમાં અધ્યાપન કરી રહેલા અરવિંદે પોતે અગાઉ વર્ણવેલા ટીબીએસ (ટ્વીન બેલેન્સ શીટ્સ) અને હાલની ટીબીએસ-ટુ વચ્ચે બહુ મોટો ફરક હોવાનું આ પેપરમાં નોંધ્યું હતું.
આસામમાં ઇન્ટરનેટ ૧૬મી સુધી પ્રતિબંધ લંબાવાયો, ભારતીય સેનાએ કરી અપીલ
ગુવાહાટી,તા.૧૪
નાગરિક સુધારણા બિલ કે જે હવે કાયદો બની ગયો છે તેની સામે પૂર્વોત્તરના કેટલાક રાજ્યોની સાથે હવે પ.બંગાળમાં પણ વિરોધ શરૂ થયો છે અને હિંસાના બનાવો બનતા સીએમ મમતા બેનર્જીએ લોકોને લોકશાહી માર્ગે વિરોધ કરવાની અપીલ કરી છે. ભાજપ શાસિત આસામમાં પરિસ્થિતિ હજુ થાળે નહીં પડતાં ૧૬ ડિસે. સુધી ઇન્ટરનેટ સેવાઓ પર પ્રતિબંધ મૂકાયો છે. જ્યારે બિહારમાં આરજેડી પક્ષે આ કાયદાના વિરોધમાં ૨૧મીએ બિહાર બંધનું એલાન આપતાં બિહારમાં પણ સુરક્ષાના કડક પગલા લેવા પડે તેમ છે.
શનિવારે પશ્ચિમ બંગાળમાં નાગરિકત્વ (સુધારા) અધિનિયમના વિરોધમાં વિરોધીઓએ ઘણા સ્થળોએ રસ્તાઓ અને રેલ માર્ગોને અવરોધિત કર્યા હતા. પોલીસે જણાવ્યું કે મુર્શિદાબાદ અને ઉત્તર ૨૪ પરગના જિલ્લાઓ અને હાવડા (ગ્રામીણ) માંથી હિંસા થયાના અહેવાલો પ્રાપ્ત થયા છે. તેમણે કહ્યું કે મુર્શિદાબાદમાં જિલ્લાના નેશનલ હાઇવે નં.૩૪ અને અન્ય રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતાં.
પોલીસે જણાવ્યું કે પરિસ્થિતિને કાબૂમાં લેવા મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓને સ્થળ પર મોકલવામાં આવ્યા છે. પૂર્વી રેલ્વેના સીલદાહ-હસનાબાદ વચ્ચે રેલ સેવા પણ ખોરવાઈ છે.
દરમ્યાનમાં નાગરિકત્વ કાયદા સામે બંગાળમાં હિંસક વિરોધ વચ્ચે મુખ્યમંત્રી મમતા બેનર્જીએ લોકોને અપીલ કરી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક રીતે વિરોધ કરો અને કાયદો હાથમાં ન લો. તેમણે તોડફોડ કરનારા સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.
અસરગ્રસ્ત નાગાલેન્ડમાં નાગા સ્ટુડન્ટ્સ યુનિયન (એનએસએફ) દ્વારા આ કાયદાના વિરોધમાં છ કલાકના બંધ વચ્ચે શનિવારે સ્કૂલ, કોલેજ અને બજારો નાગાલેન્ડના ઘણા ભાગોમાં બંધ રહી હતી અને વાહનો રસ્તા ઉપરથી બંધ હતા. જો કે, સવારના ૬ વાગ્યાથી બંધનો આરંભ થયો છે ત્યાં સુધી હજી સુધી કોઈ અનિચ્છનીય બનાવની જાણ થઈ નથી.
વિરોધ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષાઓમાં ભાગ લેવા, ફરજ પરના તબીબી કર્મચારીઓ, મીડિયા કર્મચારીઓ અને શેરીઓમાંથી લગ્નમાં ભાગ લેવા જતા લોકોને મંજૂરી આપી રહ્યા છે.
ભારતીય સૈન્યએ ઉત્તર-પૂર્વના લોકોને લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર કેટલાક શંકાસ્પદ લોકો દ્વારા ઉત્તરપૂર્વમાં કરવામાં આવેલી તેમની કાર્યવાહી અંગેના નકલી સમાચારો ફેલાવવામાં આવી રહ્યાં હોવાથી તેનાથી સાવધ રહેવા જણાવ્યું છે.
બાવડેબાજ પુરુષો સ્ત્રીની હમેશાં પહેલી પસંદ રહ્યા છે.લૈંગિક આકર્ષણ બહુ રહસ્યમય ચીજ છે. એના જાદુઈ સમીકરણ ઉકેલવાનો વૈજ્ઞાનિકો અને કલાકારો કાયમ પ્રયત્ન કરતા હોય છે. લૈંગિક આકર્ષણ વિષે એક સરસ ચિત્ર ઉપસાવવા વૈજ્ઞાનિકો અને કલાકારો ખૂબ સંશોધન કરતા રહેતા હોય છે. એટલે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોનાં ધ્યાનમાં આવ્યું છે કે અમુક સ્ત્રીઓ મેસ્કયુલિન પુરુષો પ્રત્યે અસહાય બનીને ખેંચાઈ જતી હોય છે. જોહ્ન અબ્રાહમ કે સલમાનખાન, મૅલ ગિબ્સન, સ્ટેલોન, ઋત્વિક રોશન કે અર્નૉલ્ડ પડદા ઉપર આવતા કેટલીય સ્ત્રીઓના મોઢામાંથી છુપા સિસકારા અને નિસાસા નીકળી જતા હશે? એનું સાદું સ્વાભાવિક કારણ એ છે કે આવા પુરુષો હેલ્થી હોય છે, અને ઉત્ક્રાંતિની દ્રષ્ટીએ જોઈએ તો સારી તંદુરસ્તીની કિંમત મેટિંગ માર્કેટમાં ખૂબ ઊંચી હોય છે કારણ કે એનાથી રીપ્રૉડક્ટિવ સફળતા વધી જતી હોઈ શકે.અગાઉના સંશોધન બતાવે છે કે મેસ્ક્યુલિન ફીચર અમુક વિશિષ્ટતાઓ સાથે જોડાયેલા હોય છે જેવા કે આવા વ્યક્તિઓ તંદુરસ્તીથી ભરપૂર, અપર બોડીની મજબૂતાઈ ધરાવતાં, નુકસાનકારક સ્ટ્રેસ વગરના, સામાન્ય બીમારીઓનો સમયકાળ બહુ ઓછો, ટેસ્ટેરોન લેવલ હાઈ હોવાથી રોગપ્રતિકારક શક્તિ વધુ ધરાવતા હોય છે. આવા માચો ફેસિયલ ફીચર ધરાવતા લોકો તંદુરસ્ત વધુ જણાતા હોય છે. પણ આવા સુંદર પૌરુષવાળું વ્યક્તિત્વ થોડી કિંમત ચૂકવીને મળતું હોય છે. હેલ્થી અને સ્ટ્રોંગ હોવા છતાં સ્ત્રીઓ ઇચ્છતી હોય છે તેવી લૉંગ ટર્મ રોમૅન્ટિક પાર્ટનરશિપ માટેની ક્વૉલિટી બાબતે થોડા ઉણા ઊતરતા હોય છે.ઓછાં મેસ્કયુલિન ફીચર ધરાવતા લોકોની સરખામણીએ માચો મેન શૉર્ટ ટર્મ સંબંધ માટે રુચિ ધરાવતાં, ઓછા વફાદાર જણાતા હોય છે. હાયર લેવલ ટેસ્ટેરોન ધરાવતા લોકો એમના પાર્ટનર અને બાળકોમાં સમય અને સંપદા ઓછી ફાળવતા જણાયા છે, ઈમોશનલી ઠંડા, અવિશ્વાસુ અને ક્યારેક બેડ ફાધર જણાતા હોય છે. ટૂંકમાં એમને બીજારોપણમાં રસ વધુ પછીની જવાબદારીઓ નિભાવવી બહુ ગમે નહિ. સ્ત્રીને લોંગ ટર્મ રીલેશનશીપમાં વધુ રસ હોય તે સ્વાભાવિક છે. કારણ બાળક પેદા કરી એને ઉછેરવાની મહત્તમ જવાબદારી કુદરતે એને સોંપી છે. એક તો ગર્ભવતી થયા પછી તરત જ નવ મહિનાનો લાંબો ગાળો થોડી અસહાયતા અનુભવાય. એટલીસ્ટ નવ મહિના તો બીજ રોપનારનો સહારો, ટેકો અને હૂંફ તો જોઈએ જ.બાળક જન્મ પછી પણ બહુ લાંબો ગાળો એને પગભર થવા જોઈતો હોય છે. એટલે લાંબો સમય પુરુષ એની મદદમાં ટકી રહે તો કામનું. સાથે સાથે લગ્નવ્યવસ્થા હાજર છે તો અહીં પશ્ચિમના સ્વતંત્ર સમાજમાં સ્ત્રીઓ માટે સિરિઅલ મનોગમી શરુ થઈ છે. લગ્ન કરો, ડિવોર્સ લઇ લો અને ફરી બીજા પુરુષ સાથે લગ્ન કરો આ સિરિઅલ મનૉગમી એક જાતની પૉલીગમી જ કહેવાય.તિબેટમાં સ્ત્રીઓ પૉલીગમી આચરે તેને પૉલીએન્ડ્રી કહેતા હોય છે. અહી તિબેટ્માં સિરિઅલ મનૉગમી જેવું છે નહિ. અહી ઘરમાં બે-ચાર ભાઈઓ હોય તો ચારે ભાઈઓ વચ્ચે એક જ પત્ની હોય છે. ઘરે રહેતા કામ પર બહુ ના જતા નાના ભાઈઓ દિવસે સંસર્ગ કરી લેતા હોય છે. ક્યારેક વિધુર બનેલા પિતા પણ આમાં જોડાઈ જતા હોય છે. આમ મેસ્કયુલિન પાર્ટનર પસંદ કરવામાં સ્ત્રીને વેપારમાં ખોટ જતી હોય છે. પણ પાછો આવો પુરુષ ભવિષ્યમાં મજબૂત બાળકો આપી શકે છે તે પણ અગત્યનું છે.આમ માચોમેન પસંદગીનાં ફાયદા ગેરફાયદા હોય છે. અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ શા માટે આવી પસંદગી કરવા મજબૂર થઈ જતી હશે? જે સ્ત્રીઓ પોતે તંદુરસ્તી બાબતે નબળી હોય તે તો ખાસ આવા પુરુષોને પસંદ કરતી જોવા મળી છે. અને ખાસ તો આવા પુરુષો દ્વારા પેદા થતા બાળકો મજબૂત રોગપ્રતિકારક શક્તિઓ લઈને પેદા થતા હોય છે. એટલે આમ તો લૉન્ગ ટર્મ રીલેશનશીપ માટે પ્રેમાળ અને કાળજી રાખનાર પુરુષ સ્ત્રીની પહેલી પસંદગી હોવી જોઈએ અને હોય છે પણ ખરી.આમ છતાં આવા મસ્ક્યુલિન પુરુષો અવિશ્વાસુ હોવા છતાં સ્ત્રીઓ એમને પસંદ કરવા મજબૂર થઈ જતી હોય છે અથવા એમના પ્રતિ આકર્ષાઈ જતી હોય છે એનું પગેરું કીટાણુ પ્રત્યેની સૂગ કે નફરતમાં જોવા મળે છે તેવું ગ્લાસગો યુનીવર્સીટીની ટીમને અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે. કીટાણું પ્રત્યેની સૂગ સ્ત્રીઓને મસ્ક્યુંલિન વૉઇસ, ફેસ અને શરીર પ્રત્યે આકર્ષી શકે તેવી શક્યતા રહેલી છે.આ ટીમે ત્રણ અભ્યાસ કર્યા હતા. અમુક સ્ત્રીઓને પ્રશ્નપત્રો અપાયા. એમને એમની ત્રણ પ્રકારની સૂગ પ્રત્યેની સંવેદનશીલતા દર્શાવવાની હતી. ૧) નૈતિક સૂગ જેવી કે કોઈ મિત્ર છેતરતો હોય ૨)સેકસુઅલ સૂગ જેવી કે બે સાવ અજાણ્યા સેક્સમાં ઊતરે ૩) કીટાણું પ્રત્યેની સૂગ જેવી કે કૂતરાના મળ ઉપર પગ પડી જાય. કોઈને છેતરવા જેવું અનૈતિક આચરણ કોઈ મિત્ર કરે તો આપણને નફરત થતી હોય છે. કોઈ સાધુ મહારાજ કામલીલા કરતા પકડાય ત્યારે પણ નફરત થતી હોય છે અને કોઈના મળ ઉપર પગ પડી જાય ત્યારે જબરી સૂગ ચડતી હોય છે. આ અભ્યાસમાં સ્ત્રીઓએ જરાય સૂગ ના ચડે ત્યાં ૦ માર્ક્સ આપવાનો હતો અને ભયંકર સૂગ ચડે ત્યાં ૬ માર્ક્સ આપવાનાં હતા. આમ જુદી જુદી સૂગ પ્રત્યે સ્ત્રીઓની સંવેદનશીલતા કેટલી છે તે મપાઈ જવાનું હતું.હવે આજ સ્ત્રીઓને પહેલા અભ્યાસમાં ૬ પુરુષ જોડીઓના અવાજ કેટલા અને કયા અટ્રૅક્ટિવ લાગે છે બતાવવાનું હતું. એક જ રેકૉર્ડિંગને મેસ્કયુલિન અને ફેમિનાઇનમાં તબદીલ કરેલું હતું. બીજા અભ્યાસમાં જુદી જુદી સૂગ માચો ફેશલ ફીચર અને મસ્ક્યુલર બૉડી પસંદગીમાં જવાબદાર હોય છે કે નહિ તે તપાસવાનું હતું. અહીં પુરુષોની “હાઇ મસ્કયુલિનિટી એન્ડ લો મસ્કયુલિનિટી ઇમેજ ઉપર રેટિંગ આપવાનું હતું.અહીં ચાર ઑપ્શન અપાયા હતા. “મચ મોર એટ્રેકટીવ, મોર એકટ્રેકટીવ, સમવોટ મોર એટ્રેક્ટીવ એન્ડ સ્લાઇટલી મોર એટ્રેકટીવ.” ત્રીજા અભ્યાસમાં જે સ્ત્રીઓ કોઈ પુરુષ સાથે જોડાયેલી નહોતી તેઓએ એમના આઇડિઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો અને જે સ્ત્રીઓ ઑલરેડિ પાર્ટનર ધરાવતી હતી તેઓએ એમના આઇડિઅલ અને ઍક્ચુઅલ પાર્ટનરની મસ્કયુલિનિટીને રેટ આપવાનો હતો.આટલી બધી જધામણ પછી સંશોધકોને જાણવા મળ્યું કે જે સ્ત્રીઓ કીટાણું પ્રત્યે સૂગ વધુ ધરાવતી હતી, વધુ સંવેદનશીલ હતી તેઓએ ઍક્ચુઅલ અને આઇડિઅલ બંને પાર્ટનરમાં માચો ફેશલ ફીચર, લો-પિચ વૉઇસ અને સ્નાયુબદ્ધ શરીરને વધુ પસંદગી આપી હતી. મૉરલ અને સેકસુઅલ સૂગ માચો ફીચર અને રોમૅન્ટિક પાર્ટનર પસંદગી માટે અર્થપૂર્ણ ધારણા બાંધી શકાય તેવી જણાઈ નહોતી. આમ એવું કહી શકાય કે જે સ્ત્રીઓને બીમારી ફેલાવે તેવા જીવજંતુઓ પ્રત્યે ભયંકર સૂગ ચડતી હોય તેવી સ્ત્રીઓ મજબૂત સ્નાયુબદ્ધ શરીર ધરાવતા પુરુષો પ્રત્યે વહેલી આકર્ષાઈ જતી હોવી જોઈએ. જેથી ભવિષ્યમાં એના દ્વારા પેદા થતા બાળકો મજબૂત અને સારી ઇમ્યૂન સિસ્ટમ ધરાવતા જલદી બીમાર નાં થાય તેવા પેદા થવાની શક્યતાઓ વધી જાય.કહેવાનું તાત્પર્ય એ છે કે સ્ત્રી પુરુષોના અવાજ, મુખારવિંદ અને સ્નાયુબદ્ધ શરીરની મસ્કયુલિનિટી તરફ આકર્ષાય છે જાણતાં કે અજાણતાં એની પાછળનો મૂળ હેતુ એના ભવિષ્યમાં મળનારા બાળકો મજબૂત અને જલદી બીમાર નાં પડે તેવી એને આશા હોય છે. સ્ત્રીને ઓછી મસ્કયુલિનિટી ધરાવતા પુરુષો લાંબા સહવાસ માટે ગમતા હોય છે કારણ એના બાળકોને એક પ્રેમાળ પિતા મળે જે કાયમ માટે એમને સાચવે. બસ આ વિરોધાભાસમાં સ્ત્રી કાયમ જીવતી હોય છે.પક્ષીઓ મનૉગમી માટે પ્રખ્યાત હોય છે. મોટાભાગના પક્ષીઓ મનૉગમસ હોય છે, કાયમ જોડી બનાવીને જીવતા હોય છે. પણ વૈજ્ઞાનિકોએ ત્યાં પણ ખણખોદ કરી જોઈએ. ૪૦ ટકા પક્ષીઓના બચ્ચા એમની માતા કાયમ જોડી બનાવીને રહેતી હતી તેમના દ્વારા પેદા થયેલા નહોતા. મતલબ આ માદા પક્ષી ગુપ્ત રીતે બીજા નર પક્ષી સાથે સંસર્ગ કરાવી ઈંડા મૂકતી હતી. અને સચ્ચાઈ એ છે કે પેલો કહેવાતો પરણ્યો પોતાના બચ્ચા છે તેવું માની પારકા જેનિસની સારસંભાળ રાખ્યા કરતો હતો.પુરુષને આપણે ભમરાની ઉપમા આપીએ છીએ તેમાં કોઈ શક જ નથી. સ્ત્રી લગભગ એક પુરુષ સાથે ટકી રહેવા આતુર હોય છે. એની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે, સ્ત્રી મસ્કયુલિનિટી તરફ આકર્ષાઈ જાય છે તેની પાછળ એનું માતૃત્વ જવાબદાર છે. સ્ત્રી ‘મૈ તુલસી તેરે આંગનકી’ કહી આખી જિંદગી દુખ વેઠવા તૈયાર હોય છે એની પાછળ એનું માતૃત્વ જવાબદાર હોય છે. સ્ત્રી ક્યારેક બેવફાઈ આચરે છે એની પાછળ પણ એનું માતૃત્વ છુપાયેલું છે જો સમજાય તો?પણ આપણા પુરુષ પ્રધાન સમાજમાં તમામ બંધનો સ્ત્રીઓ માટે હોય છે. ૮૦ વર્ષનો ડોસો પણ ‘કચ્ચી કલી કચનાર કી’ ગાતો ગાતો ૧૬ વર્ષની સુંદરીની પાછળ વૃક્ષની આજુબાજુ હાંફતો હાંફતો ફરતો હોય છે. પણ સ્ત્રીએ તો સતિ સાવિત્રીબેન જ બનીને રહેવાનું. નહી તો પછી અગ્નિપરીક્ષા માટે તૈયાર હો જાઓપ.જોહ્ન અબ્રાહમ અને સલમાનખાન કોને નથી ગમતા? પણ ભારતીય નારી થી બોલાય ખરું? એમના ખોંપખોંપખોં કરતા પતિદેવની વેધક નજર અગ્ન્યાસ્ત્ર જેવી જલદ હોય છે, જીવતા બાળી નાખે.પુરુષપ્રધાન સમાજની માનસિકતાએ તો આપણા સાઇકાયટ્રિસ્ટ પણ એમની કૉલમમાં સફેદ જૂઠ જાણતા કે અજાણતાં લખશે કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ માટે મિત્રો ચિંતા નાં કરો તમારી પત્નિઓ બીજે જવાની નથી તમ તમારે જેટલા ફૂલના રસ ચૂસવા હોય તેટલા ચૂસો. કારણ આવું લખેલો આર્ટિકલ ટેબલ ઉપર આવે તો તંત્રીને પણ નિરાંત થઈ જાય કે ભલે ઑફિસમાં મોડી રાત સુધી કામ ચાલે ઘેર કાઈ ચિંતા જેવું નથી કેમકે એક ઍક્સ્પર્ટ ડૉકટરે કહી દીધું ઑથેન્ટિક થઈ ગયું. પુરુષ પ્રધાન માનસિકતા છે એવું કહેવું કે પુરુષ પૉલીગમસ છે અને સ્ત્રી મનૉગમસ. કુદરત પાગલ નથી. એક જ પ્રજાતિમાં નર પૉલીગમસ હોય અને માદા મનૉગમસ હોય તેવો ભેદભાવ કુદરત શું કામ કરે? એણે કર્યો પણ નથી.. હોય તો બંને પૉલીગમસ હોય અથવા બંને મનૉગમસ હોય. એક જાણીતા સાઇકાયટ્રીસ્ટ મહાશયે એમનાં નિયમિત આવતા સ્તંભ લેખમાં લખેલું કે સ્ત્રી મનૉગમસ હોય છે અને પુરુષ પૉલીગમસ હોય છે.પૉલીગમી નેચરલ છે અને મનૉગમી સામાજિક જરૂરિયાત છે.તો મિત્રો આમાંથી શું સાર લીધો? અરે! બુદ્ધિના સાગરો ઉઠાવો ડમ્બેલ્સ કરો કસરત અને બનો સંતાનોની કાળજી રાખનાર પ્રેમાળ પિતા. સવા અબજ થઈ ગયા છો હવે ભમરા બનવાની ક્યાં જરૂર છે? તમને એક ડાળે વળગી રહેલા ફૂલની કદર કરો. મિત્રો આ એક વાક્ય લખવા માટે મારે કેટલી બધી જહેમત કરવી પડી? સીધે સીધું લખી દઉં તો માનો ખરા?મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે ગોરી ચલોના હંસકી ચાલ, જમાના દુશ્મન હૈ કે મતવાલી નાર ઠૂમક ઠૂમક ચલી જાયે, આવા ફિલ્મી ગીતો સાંભળીયે તો આશાપારેખ, નંદા કે સ્નેહલતા જેવી વિશાલ નિતંબ ધરાવતી અભિનેત્રીઓની હીંડછા એટલે કે ચાલવાની ઢબ શિકારને લલચાવવા પાંજરામાં મૂકતાં ખાજ જેવી લાગે.સ્ત્રીને ગમતું હોય કે ના ગમતું હોય પણ જ્યારે તે અંડ મોચન() અવસ્થામાં હોય ત્યારે એના હાવભાવ બદલાઈ જતા હોય છે. બીજા મૅમલ્સની જેમ હ્યુમન માદા પણ જબરદસ્ત કામજ્વર અનુભવતી હોય છે. આપણાં પ્રાચીન પૂર્વજો ચિમ્પૅન્ઝી કે એવા બીજાની જેમ હ્યુમનમાં ઑવુલ્યેશન પ્રગટ જાહેરાત કરતું નથી હોતું. આ પ્રાણીઓના જેનિટલ ભાગ સૂજીને ગુલાબી થઈ ગયા હોય છે. સ્ત્રીમાં સમજ પડે નહિ કે તે આ અવસ્થામાંથી પસાર થઈ રહી છે. સ્ત્રીને તો ખબર હોય પણ પુરુષને ખબર પડે નહિ.સ્ત્રીઓ માટે ઈવૉલ્વ થયેલી છે. પ્રછન્ન અંડ મોચન અવસ્થા ધરાવતી સ્ત્રી, પુરુષ માટે કાયમ ધારણા બાંધવા પ્રેરતી હોય છે કે તેને ગર્ભવતી બનાવવાનો ઉત્તમ સમય કયો? આ એક એનામાં લાંબા સમય સુધી સેકસુઅલ ઇંટરેસ્ટ જાળવી રખાવાની યુક્તિ છે. પ્રાણીઓમાં તરત ખબર પડી જાય કે બહેનબા હીટમાં છે. જબરો નર સ્પર્મદાન કરી રવાના થઈ જાય. જવાબદારી પૂરી.માનવમાં લાંબા સમયની રિલેશનશીપ જરૂરી છે. એકલાં હાથે જેનિસ ઉછેરવા મુશ્કેલ હોય છે. કારણ માનવબાળ બહુ લાંબો સમય મોટા થવા માબાપ પર આધારિત રહેતું હોય છે. બીજા પ્રાણીઓના બચ્ચા બે કલાકમાં ઉભા થઈ જતા હોય છે. એકબે વર્ષમાં તો પુખ્ત જેવા બની જતા હોય છે. એટલે માનવ નર જાણતો ના હોય કે માદા સૌથી વધુ ફળદ્રુપ ક્યારે છે ત્યારે તે હંમેશા એને ગર્ભવતી બનાવવા પાછળ પાછળ ફરતો હોય છે એને તરછોડીને જતા રહેવાને બદલે.આમ લગભગ ગુપ્ત અંડમોચન અવસ્થા પુરુષને સ્ર્ત્રી સાથે લાંબો સમય ચોટાડી રાખવાની ઉત્ક્રાંતિની યુક્તિ કામ લાગી જાય છે. છતાં આ કામજ્વર સાવ છૂપો પણ હોતો નથી. તે સમયના એના ઠાઠમાઠ એની ચાડી ખાતા હોય છે. ઑવ્યુલેશન વખતે જે હૉર્મોનલ કૉકટેલ સેવામાં ઊતરતા હોય છે તેને સ્ત્રી વશ થઈ જતી હોય છે. તેનું બોલવાનું હાઈ પીચમાં થઈ જતું હોય છે, એની સૂંઘવાની શક્તિ બેટર બની જતી હોય છે. બ્લડ વૅસલ ઍક્ટિવિટિ વધી જવાથી મુખ પર લાલી છવાઈ જતી હોય છે. સેક્સી દેખાય તેવા કપડા પહેરતી હોય છે. બાલ સવારવા, સ્ટાઇલથી બાલ ઉછાળવા, ઝૂકી ઝૂકીને બોલવું વગેરે અચેતનરૂપે થતું હોય છે.નામના વૈજ્ઞાનીકે ૧૦૩ સ્ત્રીઓ ઉપર પ્રયોગ કરેલો. આ સ્ત્રીઓને ખબર નહોતી કે તેમની ઉપર આવો પ્રયોગ થઈ રહ્યો છે. ઍક્ટર જેવા દેખાતા હૅન્ડસમ પુરુષો આ પ્રયોગમાં સામેલ કરેલા. પ્રયોગનો મૂળ હેતુ હતો ઑવુલ્યેશન સમયે સ્ત્રીઓની ચાલવાની સ્ટાઇલ બદલાય છે કે નહિ તે જોવાનું હતું. હિડન કૅમરા અને કમ્પ્યૂટર પણ આમાં વપરાયેલા. સ્ત્રીઓના જે લાળમાં હોય છે તેના લેવલ પણ ચેક કરવામાં આવેલા. આ સમયે સ્ત્રીની ચાલ ધીમી અને ખૂબ સેક્સી જણાઈ હતી. આ સમયે સ્ત્રીનું વર્તન અટ્રૅક્ટિવ અને સેક્સી બની જતું હોય છે.મૂળ તો માનવ બે પગે ઊભો થઈ ગયો એટલે જેનિટલ અંગો પ્રાણીઓની સરખામણીએ જરા ગુપ્ત થઈ ગયા. વળી એમાં કપડા પહેરવાનું શરુ થઈ ગયું. એટલે લાલ રંગનું ઑવુલ્યેશન હિડન થઈ ગયું, કંસીલ્ડ થઈ ગયું.
કુદરતના ખોળે જન્મતા મનુષ્યેત્તર સજીવોની ભરમાર અગણિત છે. એમાંય વળી પક્ષીજગતની વાત આવે એટલે ચિત્રવિચિત્ર પક્ષીઓનાં કંઈકેટલાંય વિલક્ષણ તથ્યો જાણીને નવાઈ પામી ઉઠીયે.
અમુક પક્ષીનું વર્તન યા તમુક પક્ષીની જીવન નિર્વાહની રીતભાત વગેરે જાણીને પ્રકૃતિ તરફ માન થઈ આવે. સાથે જ આશ્ચર્ય એ વાતનું થાય કે દરેક જાતની પરિસ્થિતિને અનુકુળ રહેવાનું જાણે કુદરતે તેમને શીખવ્યું હોય એમ તેઓ એ દરેક વિષમ પરિસ્થિતિમાંથી પોતાનો યોગ્ય માર્ગ કાઢી લે છે.અહીં પક્ષીજગતની જ વાત માંડી છે, પરંતુ વિષય તેમની વર્તણૂક કે જીવન નિર્વાહની રીતોને બદલે ‘ઝડપનો છે.
પેરેગ્રિન ફાલ્કન : ‘ઉડને મેં તો હમ સબકે બાપ લગતે હૈ, નામ હૈ પેરેગ્રિન ફાલ્કન ’ એવો સહેજે ઉદ્દગાર નીકળી પડે એવું આ પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજ વિશ્વનું સૌથી ઝડપી પક્ષી હોવાનું પ્રમાણ મેળવી ચૂક્યું છે. ચાલો ત્યારે, અનુમાન લગાવો. પેરેગ્રિનની હવાઈ ઝડપ કેટલા કિલોમીટરની ધારો છો ? ૭૦...? ૧૦૦...? ૧૫૦...? જી નહીં ! આંચકો અપાવે એવો અંક છે - ૨૫૦ થી ૩૫૦ કિ.મી. પ્રતિ કલાક ! ચીનના શાંઘાઈમાં ૨૬૭ કિ.મી. પ્રતિ કલાકની ધમધમાટ ઝડપે દોડતી વિશ્વની સૌથી ઝડપી ટ્રેન ‘શાંઘાઈ મેગ્લેવ’ કરતાં પણ વધુ. પેરેગ્રિનની મહત્તમ ઝડપ ૩૮૯ કિલોમીટર પ્રતિ કલાક છે. વિચારો કે આટલી જંગી ઝડપ ધરાવતા પેરેગ્રિન ફાલ્કનમાં કુદરતે કેવી કરામત ફીટ કરી હશે.પેરેગ્રિન ફાલ્કન એટલે કે પરદેશી બાજ શિકારી પક્ષી છે. તેનો મહત્તમ ખોરાક તે શિકાર કરીને ઝડપે છે. અંગ્રેજી ભાષામાં તેના માટે એટલે જ પ્રીડેટર બર્ડ શબ્દ વપરાય છે. પ્રીડેટર એટલે શિકારી. તે અન્ય પક્ષીઓ અને ચામાચીડિયાંને પોતાની મધ્યમ ઊંચાઈએ ઘેરો ઘાલીને ઝડપી લે છે. તેની મુખ્ય પ્રજાતિનું નામ ફાલ્કન પેરેગ્રિન છે. પુખ્ત વયનાં ફાલ્કનની ૩.૫ ફીટનો વ્યાપ ધરાવતી પાંખો અને પીઠ ઘેરા ભૂખરા રંગનાં, ખોપરીનો ભાગ કાળાશ પડતા ભૂખરા રંગનો અને આગળનો ભાગ ફિક્કા સફેદ રંગનો હોય છે. અંદરના સમગ્ર ફિક્કા સફેદ ભાગ પર કાળા ચટાપટા આવેલા છે જે પાંખોના સંપૂર્ણ ફેલાવાથી જ નજરે ચડે છે. સમગ્ર વિશ્વમાં તેની અનેક પેટા-જાતિઓ જોવા મળે છે.
એન્ટાર્કટિકા સિવાયના લગભગ દરેક ખંડમાં તેની હાજરી જોવા મળે છે. ચીલઝડપે શિકાર કરવાની તેની પદ્ધતિ અફલાતૂન હોય છે. ઊંચી સપાટી પર ઊડતું પેરેગ્રિન જેવું નીચલી સપાટીએ તેના શિકારને જુએ કે તરત ત્યાંથી લગભગ ૨૦૦ માઇલ પ્રતિ કલાકની ઝડપે તીરની જેમ પડતું મૂકે, મધ્યાકાશે શિકારને ઝડપે અને ફરી પાછું પોતાની મુખ્ય સપાટીએ ચાલ્યું જાય.
માળો બાંધવા મુખ્યત્વે તે ઊંચા બિલ્ડિંગમાં રહેલી છાજલીઓનો ઉપયોગ કરે છે. મેટિંગ સીઝન માર્ચના ઉત્તરાર્ધથી મે મહિના સુધીની હોય છે. માદા પેરેગ્રિન એક મહિના પછી ૩ થી ૪ ઈંડાં મૂકે છે. એક રસપ્રદ વાત એ છે કે પેરેગ્રિન પ્રજાતિમાં માદા પેરેગ્રિન નર પેરેગ્રિન કરતાં કદમાં મોટી હોય છે.
ગોલ્ડન ઇગલ : શિકારી પક્ષીઓમાં દબદબાપૂર્વક લેવાતું બીજું નામ ગોલ્ડન ઇગલ એટલે કે સોનેરી ગરુડનું છે. ઉત્તર ગોળાર્ધનાં શિકારી પક્ષીઓમાં ગોલ્ડન ઇગલ આગવું સ્થાન ધરાવે છે. જો કે ગરુડની આ પ્રજાતિ સૌથી વધુ ફેલાયેલી પ્રજાતિ છે. તેઓ લગભગ આખા ઉત્તર ગોળાર્ધમાં જોવા મળે છે.
ઉત્તર અમેરિકા અને યુરોપ જેવા ઉત્તર ગોળાર્ધના પ્રદેશો સિવાય એશિયામાં પણ ગોલ્ડન ઇગલનો વસવાટ છે.ગોલ્ડન ઇગલની મહત્તમ હવાઈ ઝડપ ૩૦૦ કિલોમીટર પ્રતિ કલાકની છે. પેરેગ્રિન ફાલ્કનથી થોડી જ દૂરીએ રહેલું ઇગલ તે રીતે લિસ્ટમાં બીજા નંબરે આવે એમાં કશી નવાઈ નથી. પેરેગ્રિનની જેમ ગોલ્ડન ઇગલની જાતિઓમાં પણ માદા ગરુડ કદમાં મોટાં હોય છે. આ આકાશી શિકારીઓ નાનાં અને મધ્યમ કદનાં સસ્તન વર્ગનાં પ્રાણીઓનો શિકાર કરે છે જેમાં સસલાં, જેક-સસલાં, પ્રેઇરી કૂતરા, ખિસકોલી જેવાં પ્રાણીઓ આવે છે.
ઉપરાંત તેમના મેન્યુ કાર્ડમાં કેટલાંક પક્ષીઓ અને સરીસૃપ વર્ગનાં જીવ-જંતુઓ પણ છે.ગોલ્ડન ઇગલ તેનો માળો ભેખડની કરાડોમાં કે જંગલપ્રદેશમાં ઊંચા વૃક્ષો પર તૈયાર કરે છે. ઊંચાઈ પર માળો તૈયાર કરવાનું સામાન્ય કારણ એ કે ઊંચાઈ પર કોઈ પણ જાતનો અવરોધ હોય નહીં એટલે તેની વસ્તીવાળા વિસ્તારમાં તેની નજર ચોતરફ રહી શકે. આજુ-બાજુ અવરોધદાયક એક પણ ચીજ હોય નહીં એટલે તેને એક રીતે શિકાર કરવા માટે મોકળી જગ્યા પણ મળી રહે.
માળો બનાવવા તે સળેખડીઓનો ઉપયોગ કરે છે. સળેખડીને યોગ્ય આકારમાં વાળીને તે રકાબી આકારનો, સમતલ માળો બાંધે છે. માદા એક વર્ષે સરેરાશ બે ઈંડાં મૂકે છે. આ સંખ્યામાં નાની-મોટી વધઘટ પણ થતી રહે છે.ગોલ્ડન ઇગલ તેના ‘ગોલ્ડન’ નામને ખરેખર સાર્થક કરી આપે છે. ફોટોમાં દેખાય છે તેમ માથાનો ઉપલો ભાગ સહેજ સોનેરી છે. પૂરું શરીર ભલે ઘેરા કથ્થઈ રંગનું, પણ જ્યારે પાંખો ફેલાવે ત્યારે સમગ્ર શરીર પર છૂટક છૂટક સંખ્યામાં આવેલાં અસંખ્ય સોનેરી પીછાં સૂર્યપ્રકાશમાં અદ્દલ સોના જેવા જ લાગે.
શિકાર કરવાની તેની સ્ટાઈલ મહદઅંશે પેરેગ્રિન ફાલ્કન/પરદેશી બાજને મળતી આવે છે. તેનાથી મધ્યમ કદની ઊંચાઈ પર રહેલાં પક્ષીઓ, પ્રાણીઓને કલાકની ૧૫૦ માઈલ્સ કરતાં પણ વધુ ઝડપે આંતરે છે અને તેનાં તિક્ષ્ણ નહોર વડે તેમને દબોચીને વળી હવામાં ઊંચે ચડી જાય છે.
ગેઅર-ફાલ્કન : ફાલ્કન/બાજની બધી જ પ્રજાતિઓમાં આ ગેઅરફાલ્કન/ગેઅરબાજ મોટામાં મોટું બાજ ગણાય છે. શિકારી પ્રકારનું પક્ષી છે અને પેરેગ્રિન ફાલ્કનનું જાતબંધુ છે એટલે તેની શિકાર કરવાની રીતમાં પણ ખાસ કશું જ ‘નવું’ નથી. તેને ઘણી વાર તેના શરૂઆતના ટૂંકા નામ ‘ગેઅર’ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેની મહત્તમ હવાઈ ઝડપ ૨૦૯ કિલોમીટર પ્રતિ કલાકની છે.ગેઅરફાલ્કન તેમની ઝડપી ડાઇવ અને લાંબી, અણીદાર પાંખો માટે જાણીતાં છે. દેખાવ મહદઅંશે તેમના જાતબંધુ પેરેગ્રિન જેવો જ છે, પણ મુખ્ય ફરક પીઠના રંગનો છે. પીઠ પર રાખોડી અને સફેદ રંગના ચટાપટા/ધાબાં લાગે એવી રીતે પીછાંની ગોઠવણ છે. આંખો ફરતે પીળાં કુંડાળાં અને ખોપરીનો ભાગ સફેદ રંગનો. દરેક શિકારી પક્ષીને હોય છે એવા ધારદાર, અણીદાર નહોર તો આપણા સૌનું આકર્ષણ ખરા જ. આ ફાલ્કનના મુખ્ય આવાસો આર્કટીક સાગરકિનારાના વિસ્તારો, ઉત્તર અમેરિકા, યુરોપના દેશો તથા એશિયાના દેશો છે. સંવર્ધનકાળ દરમિયાન જો કે તેમનું સ્થળાંતર ખાસ્સી હદ સુધી વધી જતું હોય છે.પરંપરાગત ઇમેજ મુજબ ગેઅરફાલ્કન કાળા ગોળાકાર ધાબાં ધરાવતું સફેદ રંગનું પક્ષી છે, પરંતુ ઘણી પેટાપ્રજાતિમાં તે મૂળ સફેદ રંગને બદલે સફેદ, રાખોડી અને ઘેરા કથ્થઈ રંગના શેડ્સમાં જોવા મળે છે. દરેકમાં કાળા ધાબાં તો એકસરખાં જ. વળી તરુણ અવસ્થાનાં બાજની પીઠનો ભાગ કથ્થઈ રંગનો જોવા મળે છે જ્યારે પુખ્ત વયનાંની પીઠ ઉપર જણાવ્યા મુજબ સફેદના શેડ્સમાં હોય છે.ગેઅર શબ્દ જોઈને નવાઈ લાગતી હશે કે આવો અડધો શબ્દ શું કામ ? તો એનો ખુલાસો આમ છે. ગેઅર એ જૂનો જર્મન શબ્દ છે. ગેઅર એટલે ગીધ. (જો કે ગેઅર ફાલ્કન એ બાજ પક્ષી છે. ગીધ અને બાજમાં ફરક હોય છે.) અને લેટિન શબ્દ ફાલ્ક એટલે અણીદાર વક્રાકાર દાંતાવાળું ખેતરનું ઓજાર. આ સાધનનો સંદર્ભ કદાચ ફાલ્કનના હુક જેવા અણીદાર નહોર સૂચવતું હોઈ શકે.ગોલ્ડન ઇગલની જેમ જ ગેઅર ફાલ્કન પણ પોતાનો માળો બાંધવા માટે ભેખડ-કરાડવાળા વિસ્તારો પસંદ કરે છે. ઘણી વખત જંગલી કાગડા દ્વારા ત્યજી દેવાયેલા માળાનો પણ તેઓ ઉપયોગ કરી લે છે. એપ્રિલના અંતમાં માદા મહત્તમ પાંચ ઈંડાં મૂકે છે જેને નર-માદા બંને ૩૫ દિવસ સુધી સેવે છે. ૬ થી ૮ અઠવાડિયા પછી યુવાન ફાલ્કન પોતાની રીતે દાણોપાણી મેળવવા માળો છોડી શકે છે.
વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ :પક્ષીજગતની મેરેથોનમાં ‘વ્હાઈટ થ્રોટેડ નિડલટેઇલ’નો ક્રમ ચોથો આવે છે. તેની જાત ઉપલાં ત્રણેય કરતાં જુદી છે. તે જંતુભક્ષી પક્ષી છે અને ગરુડ કે બાજની સરખામણીએ તદ્દન જુદું પક્ષી છે. તેની લાંબી, નાજૂક ને પાતળી પાંખ અને તેના અબાબીલ પંખી સાથેના ઉપરછલ્લા મળતાવડાપણાને કારણે તે સ્વીફ્ટ પક્ષી છે. આ પ્રકારનાં પક્ષીઓ હવાની સપાટી પર ઉડવામાં ત્વરિત હોય છે અને એકદમ તણખલાંની જેમ તેઓ ઊડી શકતાં હોવાથી આ નામ પડ્યું છે. તે નિડલટેઇલ સ્વીફ્ટ કે સ્પાઇન ટેઇલ્ડ સ્વીફ્ટ તરીકે પણ ઓળખાય છે. ‘સ્વીફ્ટ’ની જાતિનું તે મોટું સ્વીફ્ટ છે.લાકડાનાં પીપ આકારનું ધડ ધરાવતાં નિડલટેઇલ ૧૬૯ કિલોમીટર પ્રતિ કલાકની મહત્તમ હવાઈ ઝડપ લઈ શકે છે. અગાઉ જોઈ ગયાં એ ત્રણેય પક્ષીઓ ભારતમાં વત્તા-ઓછા અંશે નજરે પડી જતાં હોય છે, પરંતુ નિડલટેઇલ તો એશિયા અને સાઈબિરીયાનું જ પક્ષી, એટલે વળી ભારતનું તો કાયમી મહેમાન. તે મોટાભાગે સ્થળાંતર કરતું પક્ષી છે. તેઓ સંવર્ધન અને ઉછેરકાળ મધ્ય એશિયાના પ્રદેશોમાં અને દક્ષિણ સાઈબિરીયામાં વિતાવે છે અને જેવો શિયાળો શરૂ થાય કે તરત આખો જુમલો વધુ દક્ષિણ ભણી સ્થળાંતર કરી જાય છે. શિયાળા દરમિયાન ઉત્તર તરફના સાઈબિરીયામાં ઠંડીનું પ્રમાણ ખાસ્સી હદ સુધી વધી જતાં તેઓ દક્ષિણ તરફ ગતિ કરતાં ભારત, ચીન, પાકિસ્તાન, ઓસ્ટ્રેલીયા, ન્યૂઝિલેન્ડ, જાપાન બાજુનો હંગામી વસવાટ આદરે છે. તેની આજુ-બાજુની અને પૂંછની એમ ત્રણેય પાંખનાં પીછાંના છેડા સોય જેવા અણીદાર હોવાથી જ તેનું નામ નિડલટેઇલ પડ્યું છે. લાકડાનાં લંબગોળ પીપની બંને તરફ સઢ જેવી પાંખ અને છેડે સૂપડા જેવી પુંછડી એ તેની ઓળખ છે. દેખાવ થોડો ઘણી રીતે પેંગ્વિન સાથે પણ મળતો આવે છે. પેટનો ભાગ કાળાશ પડતા કથ્થાઈ રંગનો અને સફેદ રંગનો છે. બાકીનું શરીર આછા ભૂખરા-કાળા રંગનું. તે મોટા ભાગનો સમય હવામાં જ વિતાવે. તેના કારણો આઃ પહેલું, તેના પગ અન્ય જાતિનાં પક્ષીઓની સરખામણીએ અને તેના શરીરના પ્રમાણમાં ઘણાં નાના હોય છે એટલે તે ઝાઝા વખત સુધી જમીન પર ઊભા રહેવું તેને ફાવે નહીં. આથી મોટા ભાગનો સમય તે હવામાં જ વિતાવે. બીજું કારણ એ, કે પગ નાના અને પાંખ લાંબી એટલે સંવર્ધનકાર્ય અથવા અન્ય કાર્ય વખતે ઉત્તરાણ બાદ ફરી આકાશમાં ચડવા માટે તેને તકલીફ પડે. એટલે જમીન પર બિનજરૂરી ઉત્તરાણ તે કરતાં નથી.ભારતમાં નિડલટેઇલની પેટા-પ્રજાતિ હિમાલયની ટેકરીઓ, જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, ઉત્તરાખંડમાં મોટે ભાગે જોવા મળે છે.મોટાં જીવજંતુઓ તેનો ખોરાક છે. ખડમાકડી, તીડ, સીકેડા (એક જાતનું તીડ), ઉધઈ, ભમરા, વંદા જેવા સેંકડો જીવજંતુઓ તે આરોગે છે. પ્રજનનકાળ બાદ માદા વૃક્ષની બખોલમાં ૨ થી ૭ ની સંખ્યામાં ઈંડાં મૂકે છે.
લોકતંત્ર એટલે લોકોનું તંત્ર. લોક જ સર્વોપરી ને સર્વસ્વ. બધા લોકો સાથે મળીને તંત્ર કે રાજ કરી ન શકે માટે પોતાના પ્રતિનિધિઓ ચૂંટીને મોકલે. આ સંસદસભ્ય. વિધાનસભ્ય અને નગરસેવક સહિતના પ્રતિનિધિઓ પાસેથી સહજપણે અપેક્ષા રહે કે તેઓ બંધારણ સમજે. એનું રક્ષણ કરે અને એને માન આપે, પરંતુ સિટીઝનશિપ (એમેન્ડમેન્ટ) ઍક્ટ, ૨૦૧૯ની બાબતમાં ભળતી જ લાગણી અનુભવાય છે.બંધારણીય જોગવાઈ અને સંસદીય પ્રણાલી મુજબની સર્વ પ્રક્રિયા આ નાગરિકતા સુધારા ધારામાં અપનાવાઈ. સૌ પ્રથમ લોકસભામાં અને પછી રાજ્યસભામાં બહુમતીથી ખરડો પસાર થયો, ને પછી રાષ્ટ્રપતિએ એના પર મતું માર્યું. કોઈની વિચારસરણી, મહત્ત્વતા કે પૂર્વગ્રહ ભલે ભિન્ન હોય પણ ભાજપની જનતાએ ચૂંટેલા સાંસદોની જરૂરી બહુમતીએ એને સ્વીકાર્યો છે. આ સુધારો સૌએ માથે ચડાવવો રહ્યો કે નહિ?પરંતુ નાગરિકતા સુધારા ધારાએ નક્કર સ્વરૂપ કર્યા બાદ બિન-ભાજપ રાજ્ય સરકારમાંથી આવેલા પ્રતિભાવ મૂઢ કરી નાખનારા છે. કેરળ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને પંજાબના મુખ્ય પ્રધાનોએ બહુ બહાદુરી બતાવતા હોય એમ જાહેર કરી દીધું કે અમારા રાજ્યમાં નાગરિકતા સુધારા ધારાનો અમલ નહિ થવા દઈએ. મહારાષ્ટ્રમાં નવી સવી સરકારના કૉંગ્રેસી પ્રધાને ય એવો સૂર કાઢ્યો.આ જનસેવકોએ જનતાને બંધારણના મહત્ત્વ, અર્થ અને મર્મ સમજાવવાના હોય પણ આ બધા પોતે બંધારણને સમજે - સ્વીકારે છે? હકીકતમાં તો નાગરિકતા રાજ્યનો વિષય જ નથી. આ બધાના ઊહાપોહ બાદ કેન્દ્રીય ગૃહમંત્રાલયના પ્રવક્તાએ ફોડ પાડ્યો કે બંધારણના સાતમા શિડ્યુલમાં કેન્દ્રની કામગીરીની યાદીમાં આ નાગરિકતા સુધારાધારો આવી જાય અને એને નકારવાનો રાજ્ય સરકારોને હક જ નથી.સંરક્ષણ, રેલવે અને વિદેશી બાબતો સહિતની ૯૭ ચીજોની યાદીમાંનો નાગરિકતાનો મામલો કેન્દ્ર હસ્તક છે. આમાં સંસદના બંને ગૃહ અને રાષ્ટ્રપતિની મંજૂરી બાદ કંઈ પણ સુધારાવધારા, ફેરફાર કરવાનો હક માત્રને માત્ર કેન્દ્ર સરકારને જ છે.વિચિત્ર લાગે છતાં માની લઈએ કેન્દ્રના વિરોધ પક્ષો સરકારનો વિરોધ કરવાના જ, પરંતુ સચ્ચાઈ, તર્ક, બંધારણ, સંસદ અને જનાદેશને નેવે મૂકીને? નાગરિકતા સુધારા ધારાનો અમલ ન થવા દેવાની પીપુડી ફૂંકનારા એટલું ય જાણતા નહિ હોય કે આ મામલો કેન્દ્ર હસ્તકની બાબત છે. ધારો કે કોઈ નિરાશ્રિતને કેન્દ્ર સરકારે ભારતની નાગરિકતા આપી. પછી તો કોઈ પણ રાજ્યમાં હરવા ફરવા, રહેવા, કમાવા અને ભણવાનો મૂળભૂત બંધારણીય હક એને મળી જ જાય? કોઈ રાજ્ય એને રોકી કંઈ રીતે શકે?આમ છતાં બિન-ભાજપ પક્ષોને લાગી શકે કે બહુમતીના જોરે કંઈક ખોટું થયું છે તો બે વિકલ્પ બચે છે. એક અદાલતના દરવાજા ખટખટાવો. અત્યાર સુધી આ કાયદાના વિરોધમાં એક ડઝન અરજી સુપ્રીમ કોર્ટમાં થઈ છે. બીજો લોકતાંત્રિક માર્ગ છે. આગામી ચૂંટણીમાં બહુમતી મેળવીને કાયદાને નાબૂદ કરવાનો કે એમાં સુધારો કરવાનો.પ્રજા બાળક જેવી હોય. એને ભરમાવવા માટે રાજકારણીઓ ભળતા નિવેદન કરે તે શોભાસ્પદ નથી. તેઓ સંસદમાં અને વિધાનસભામાં જ્યારે ચુંટાય છે ત્યારે તેમની જવાબદારી બંધારણનાં રક્ષણની હોય છે તેના કરતા ઉપર કોઇ હોઇ શકે નહી પણ આપણે ત્યાં જ્યાં ચુંટણીઓ જ સત્તાલક્ષી બની રહી છે ત્યાં બીજુ કશું કહેવા જેવું રહ્યું જ નથી.