અમદાવાદ, રાજકોટ,બરોડા અને સુરતમાંથી પ્રતિદિન વાહનો આવે છેઃ છે કુરિયર નો સામાન પણ આવી ગાડીમાં આવતો હોવાની ચર્ચા
મીઠાપુર, તા.૨૬
કોરોના મહામારીના કારણે સરકારે અનેક વખત સુચનો કરીને કોરોના માર્ગદર્શિકાનો પાલન કરવા આગ્રહ જતાવ્યો છે. ત્યારે તેનો અમલ કરવો તે પણ લોકોની નૈતિક ફરજ બને છે. ત્યારે આવી પરિસ્થિતિમાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર શહેરમાં પ્રતિદિન કુરિયરનો અમુક સામાન લઈને રાજકોટ અમદાવાદ બરોડા અને સુરત શહેરમાં થી મોટી સંખ્યામાં વાહનો મોટી સંખ્યામાં વાહનો આવી રહ્યા છે.એક તરફ કંપની દ્વારા માટે અનેક સવલતો આપવામાં આવે છે ક્યારે આવા બહારથી રોજ,બરોજ આવતા વાહનો કોરોના મહામારીનું સંક્રમણ વધારે તે પહેલા મીઠાપુરમાં બહારથી આવતા વાહનો બંધ કરાવવા જોઈએ તેવી લોકોની માગણી તેવી લોકોની માગણી છે.